શુક્રવાર, 27 જાન્યુઆરી, 2012

બંધબેસતી પાઘડી ઓઢી લેવાની છૂટ છે!


જે રાજકર્તા પોતાના દોસ્ત અને દુશ્મન વચ્ચેનો ફર્ક જાણી નથી શકતો એના દુશ્મનો દોસ્તના રૂપમાં એની નજીક રહીને એને નુકસાન કરે છે. ઇતિહાસમાં એવા અનેક દાખલાઓ મોજૂદ છે
લખવા સિવાય મને બીજું કશું આવડતું નથી. મારા એક નજીકના મિત્રે મને કહ્યું કે “દુઃખમાં હોઈએ ત્યારે દુઃખ ન વધે એવું લખવું.” અહીં લખેલા પ્રસંગો વાંચીને કોઈને દુઃખની લાગણી તો નહીં જ થાય એમ હું માનું છું.
ખ્ત ગુજરાતમાં જુદા જુદા પ્રકારના ખેડૂતો છે. એમાં પાટીદાર અને દેસાઈ બે જાણીતા છે. દેસાઈ વિશે હું બહુ જાણતો નથી, કારણ કે નાગરથી માંડીને અનેક કોમમાં દેસાઈ છે અને એ બધા ખેડૂતો હોય એમ લાગતું નથી. અહીં લખેલી વાત અકબરના જમાનામાં બની છે. એ વાતમાં સત્ય કેટલું હશે એની ખબર નથી, કારણ કે અકબર વિશેની જે વાતો પ્રચલિત છે, એમાંની આ પણ એક છે.
ગુજરાતના અફઘાન બાદશાહો પાસેથી અકબરે ગુજરાત જીતી લીધું પછી એ અમદાવાદ આવ્યો ત્યારે હુકમ કર્યો કે જેમને અઘાટ જમીન મળી હોય એમણે દસ્તાવેજો બતાવવા. નહીં બતાવે એની જમીન ખાલસા કરવામાં આવશે. ઘણા લોકોએ દસ્તાવેજો બતાવ્યા. એમાંના ઘણા ખરા તાંબાના પતરા ઉપર લખેલા હતા, પરંતુ એક દેસાઈએ કહ્યું કે એની પાસે દસ્તાવેજ નથી. એની પાસેની જમીન પાંચ પેઢીથી એની પાસે છે અને એના દસ્તાવેજોની નકલ દિલ્હીમાં છે. સૂબાએ અકબરને વાત કરી. એણે કહ્યું કે, “દિલ્હીમાં કઈ જગ્યાએ ક્યાં છે, એ કહો તો તપાસ કરવામાં આવશે.”
દેસાઈએ કહ્યું, “જહાંપના, આપને મળેલા દિલ્હીના તખ્તનો જે દસ્તાવેજ તાંબાના પત્રમાં છે એની પાછળ જ મારી જમીનનો દસ્તાવેજ છે.” એ સાંભળતાં જ અકબર હસી પડયો અને એ દેસાઈ પાસે હતી એટલી જ બીજી જમીન એને ઈનામમાં આપી.
(આમાં સમજવાનું એ છે કે રાજાશાહી હોય, સરમુખત્યારશાહી હોય કે લોકશાહી હોય, જે કોઈ જીતી શકે એ તખ્ત ઉપર બેસી શકે છે અને એ તખ્ત કોઈ પાસે રહેતો નથી. મુઘલો પાસે ચારસો જેટલાં વર્ષો શાસન રહ્યા પછી પણ એ ચાલ્યું ગયું. અંગ્રેજોએ છીનવી લીધું અને એમની પાસેથી પણ એ ચાલ્યું ગયું. કોઈ કાયમી પૃથ્વીપતિ છે જ નહીં.)
* અકબરની જ એક બીજી વાત.
અમદાવાદમાં અકબરનો મુકામ હતો ત્યારે કાઠિયાવાડના એક નાના ગામમાંથી એક વૃદ્ધા અકબર પાસે ફરિયાદ કરવા આવી. એની ફરિયાદ હતી કે એના જુવાન દીકરાએ એને માર મારનાર એક ધનવાન વિરુદ્ધ જમાદારને ફરિયાદ કરી તો જમાદારે એને જ મારી મારીને કોટડીમાં પૂરી દીધો. ફોજદારને ફરિયાદ કરી તો એણે એ સાંભળી નહીં. બાદશાહ અમદાવાદ આવ્યા છે એવું સાંભળીને એ એમને ફરિયાદ કરવા આવી હતી. અકબર એની વાત ધીમેથી સાંભળી રહ્યો હતો. એ જવાબ આપે એ પહેલાં જ અકબરને નમન કરીને એક દરબારીએ વૃદ્ધાને કહ્યું, “બાદશાહ સલામત દિલ્હીમાં રહે છે. એ આવી નાની નાની બાબતો ઉપર ધ્યાન આપે તો બીજું કામકાજ કરી જ ન શકે.” રાજદરબારમાં હંમેશાં ચમચાઓ હાજર હોય જ છે.
માજી દાઝેલાં હતાં. એમણે કહ્યું, “હું ક્યાં કહું છું કે બાદશાહ સલામત આવું નાનું કામ કરે. દિલ્હીમાં બેઠાં બેઠાં એમનાથી પોતાની વસતીની ફરિયાદ ઉપર ધ્યાન ન આપી શકાતું હોય તો જે કોઈ ધ્યાન આપી શકે એને ગાદી આપી દે.”
હાજર હતા એ બધા સડક થઈ ગયા!
બાદશાહ અકબરે સૂબાને કહ્યું, “માજીના દીકરાને તાત્કાલિક જ છોડી દેવાનો હુકમ કરો. જમાદાર અને ફોજદારને એના હોદ્દા ઉપરથી દૂર કરીને આકરામાં આકરી સજા કરો અને આ ઘરડી સ્ત્રી જીવે ત્યાં સુધીના એના ભરણપોષણની વ્યવસ્થા કરો. આવી ફરિયાદ ફરીથી આવવી ન જોઈએ.”
(દરેક રાજકર્તાઓએ આ વાત યાદ રાખવા જેવી છે. લોકોની વાજબી ફરિયાદ જો એ સાંભળી ન શકે, અમલદારો અન્યાયી વર્તન કરે, તો વહેલા મોડા એનો ભોગ રાજકર્તાએ જ બનવું પડે છે.)
* આજકાલ ફતવાઓ વિશે બહુ લખાય છે. અહીં હું એક ફતવાની વાત કરું છું. લોકો જેમાંથી પીવાનું, નહાવાધોવાનું પાણી ભરતા હતા એ કૂવાઓ હવે લગભગ નકામા થઈ ગયા છે. હવે નળ અને ડંકી થઈ ગયાં છે. આ ફતવાની વાત મસ્જિદમાં અને બીજી જગ્યાએ કૂવા હતા ત્યારની છે.
એક કૂવામાં એક ગલૂડિયું પડી ગયું અને માણસોને એની ખબર પડી ત્યારે તો એ મરી ગયું હતું. એનું શરીર ફૂલીને ફાટી ગયું હતું. પાણીમાં ગંધ આવવા માંડી હતી. લોકો મૌલવી પાસે ગયા અને એ પાણી પાક ક્યારે થઈ શકે એ માટે પૂછયું.
મૌલવીએ કહ્યું કે,”એ કૂવામાંથી બધું જ પાણી કાઢી નાખવાથી કૂવાનું પાણી પાક થઈ જશે. એ વખતે પાણી ખેંચવા માટે એન્જિનનો ઉપયોગ થતો નહોતો. ઘડાથી પાણી ખેંચવામાં આવતું હતું. એટલે લોકોએ ઘડે ઘડે કરીને કૂવામાંથી બધું પાણી ખેંચી લીધું, નવી સરવાણીઓ આવી ને કૂવો ભરાઈ ગયો, પરંતુ કૂવાના પાણીમાંથી ગંધ દૂર ન થઈ. લોકોએ મૌલવી પાસે જઈને વાત કરી એટલે મૌલવીએ ફરી પાણી ઉલેચી લેવાનું કહ્યું. ફરી પાણી ઉલેચી લીધું, ફરી કૂવો ભરાવા લાગ્યો. પાણીમાંથી ગંધ દૂર ન થઈ તે ન જ થઈ. મૌલવીને નવાઈ લાગી. એમણે પ્રશ્ન કર્યો, “કૂવામાંથી મરી ગયેલાં ગલૂડિયાને તો કાઢયું છે ને કે પાણી જ ઉલેચ્યા કરો છો?”
હાજર હતા એ લોકો એક બીજા સામે જોવા લાગ્યા. ગલૂડિયું તો કોઈએ કૂવામાંથી કાઢયું જ નહોતું.
(રાજકારણ કે સમાજમાંથી મૂળ ગંદકી દૂર કર્યા વિના એને શુદ્ધ કરવાની ચર્ચા એ માત્ર એકબીજા ઉપર દોષ ઢોળવાથી વિશેષ કશું જ નથી.)
* આજે ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો થાય છે, ત્યારે રાજકર્તાઓને ઉપયોગી થાય એવી એક વાત, શેખ સાદીના બુસ્તાન (બોસ્તાન)માંથી અહીં નોંધું છું.
ઈરાનનો શહેનશાહ દારાયસ એક વાર શિકારે ગયો હતો ત્યારે એના કાફલાથી છૂટો પડી ગયો. એને જોઈને એક માણસ દોડતો એના તરફ આવ્યો. દારાયસને થયું કે એને એકલો જોઈને એના તરફ આવનાર માણસ દુશ્મન જ હોવો જોઈએ. તરત જ પોતાના ધનુષ ઉપર તીર ચડાવીને એણે પણછ ખેંચી આવનાર માણસે બૂમ મારી “હું દુશ્મન નથી. મને મારશો નહીં. હું તો તમારા ઘોડાઓનો રખેવાળ છું અને આ વીડમાં એને ચરાવું છું.”
દારાયસે પોતાની સ્વસ્થતા પ્રાપ્ત કરી, હસીને કહ્યું, “ઈશ્વરે તને બચાવ્યો નહીં તો આજે તું મારા તીરનો ભોગ બની જાત.”
એ માણસ શહેનશાહના ઘોડાઓનો મુખ્ય રખેવાળ હતો. એણે હાથ જોડીને કહ્યું, “શહેનશાહ, માફ કરજો, પરંતુ જે રાજા પોતાનો દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે એ જાણી ન શકે તે જરૂર ખત્તા ખાય છે. આપે મને ઘણી વાર જોયો છે અને ઘોડાઓ વિશે પૂછપરછ કરી છે. છતાં આપ મને ઓળખી ન શકયા. આપના હજારો ઘોડામાંના દરેક ઘોડાને હું ઓળખી શકું છું.
એ સાંભળી દારાયસ વિચારમાં પડી ગયો ઘોડાના રખેવાળની વાત ખોટી નહોતી.
(જે રાજકર્તા પોતાના દોસ્ત અને દુશ્મન વચ્ચેનો ફર્ક જાણી નથી શકતો એના દુશ્મનો દોસ્તના રૂપમાં એની નજીક રહીને એને નુકસાન કરે છે. ઇતિહાસમાં એવા અનેક દાખલાઓ મોજૂદ છે.)
શેખ સાદીનાં બે વિખ્યાત પુસ્તક ‘ગુલિસ્તાન’ અને ‘બુસ્તાન’ (બોસ્તાન)માં સામાન્ય માણસથી લઈને રાજકર્તાઓ, દરવેશો, ઉમરાવો અને ગરીબો બધાને ઉપયોગી થાય એવી કથાઓ અને કાવ્યો છે. એની વાત ક્યારેક કરીશું.
* હવે હું એક ખેડૂતની વાત કરું છું.
અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનના પિતા ખેડૂત હતા. એમને સ્થળાંતર કરવાનું હોવાથી પોતાનું ખેતર વેચી નાખવાની એમણે જાહેરાત કરી. સારા ગ્રાહકની રાહ જોવા લાગ્યા, પરંતુ એવો ગ્રાહક તરત મળ્યો નહીં એટલે એ પોતાનું ખેતર ખેડવા લાગ્યા.
એમને ખેતર ખેડતાં જોઈને એક માણસે પૂછયું, “કાકા, તમે ખેતર વેચી નાખવા માંગો છો એ વાત સાચી છે?”
“હા” ખેતર ખેડતાં ખેડતાં એમણે માથું હલાવ્યું.
“તો પછી ખેતર ખેડવાની મહેનત શા માટે કરો છો?”
પ્રમુખ લિંકનના પિતાએ કહ્યું, “હું ખેતર વેચવાની વાત મારા ખેતરને કહેવા નથી માંગતો.”
(આ વાત ઘણું કહી જાય છે. પ્રમુખ લિંકનમાં એમના પિતાનો આ ગુણ બરાબર ઊતર્યો હતો. પોતાના સામે આવેલું કામ એ ક્યારેય કર્યા વિના છોડતા નહોતા.)
* હવે મેં સાંભળેલી એક કાગડાની વાત.
એક પ્રદેશમાં એક વાર દુષ્કાળ પડયો. દુષ્કાળમાં પશુ પક્ષીઓ પણ મરવા લાગ્યાં. એ વખતે એક કાગડાએ એક શિવાલયમાં મુકામ કર્યો. દુષ્કાળમાં પણ ભારતના માણસો ધર્મ કર્મ કરવાનું છોડતા નથી. લોકો મંદિરમાં જતા અને કોઈ ને કોઈ ખાવાનું કે રોકડ મૂકી જતા. કાગડો એ ખાવાનું ખાઈને જીવવા લાગ્યો.
ઉનાળો પૂરો થયો. વરસાદ થયો. દુષ્કાળ પૂરો થયો. હવે કાગડો અકળાવા લાગ્યો. હવે મંદિરમાં રહીને ટુકડા ખાવાની જરૂર નહોતી. દરરોજ એ ભગવાનની મૂર્તિ પર ચરકવા લાગ્યો. એને હતું કે ભગવાન એના ઉપર નારાજ થશે તો એ બહાને એનો આશરો છોડીને પોતે ઊડી જઈ શકશે, પરંતુ એવું બન્યું નહીં એટલે એક દિવસ મંદિરમાં કોઈ નહોતું ત્યારે એણે ભગવાનને કહ્યું, “હું રોજ તમારા ઉપર ચરકું છું એટલે તમને નહીં ગમતું હોય એ હું જાણું છું. તમે મને શાપ આપો તો હું અહીંથી જવા માંગું છું.”
“અરે, કાગડાભાઈ” ભગવાને કહ્યું, “તમે ચરકો છો એ તો મને ગરમ હૂંફાળું લાગે છે.”
“એમ? મારું ચરક તને ગરમ લાગે છે?” કાગડાએ કહ્યું, “તો હવે જેનું ચરક ઠંડું લાગે એને બોલાવજે” એમ કહીને એ ઊડી ગયો.
(આ બાબતમાં વિશેષ કશું લખવાની જરૂર નથી. જેને આ બંધબેસતું લાગે એણે એ ઓઢી લેવું, અને પોતાની જાતને સુધારવા જેવું લાગે તો સુધારવી. જેને ન લાગે એનું શું કહી શકાય?)
-

કેલિડોસ્કોપ  મોહમ્મદ માંકડ


બુધવાર, 18 જાન્યુઆરી, 2012

જે.કે. રોલિંગ સફળતાનો ‘શબ્દ’કોશ


જે.કે. રોલિંગ હેરી પોટર સિરિઝની વાર્તાના શબ્દો લખી આજે સફળતાનો શબ્દકોશ બની ચૂક્યાં છે. પણ એમની સફળતા ભારે સંઘર્ષપૂર્ણ છે

સફળતાની બધી વ્યાખ્યાઓ પોતાની તરફેણમાં કરી દેનારાં જોની રોલિંગ એક સમયે બેકારી ભથ્થું મેળવી ગુજરાન ચલાવતાં જ્યારે આજે તેમની સંપત્તિ ૫૩૦ મિલિયન પાઉન્ડ છે! બ્રિટનની એ સૌથી ધનાઢય મહિલા પૈકીની એક છે. જોકે આ સફળતા રાતોરાત નથી મળી. એમને એ માટે ઘણો સંઘર્ષ કરવો પડયો છે.

આખું નામઃ જોની કે રોલિંગ
જન્મ તારીખઃ ૩૧ જુલાઈ, ૧૯૬૫









તેમની જિંદગી પર એક નજર...

* તેમનો જન્મ બ્રિટનના ગ્લુચેસ્ટશાયર ખાતેના યાટેમાં ૧૯૬૫માં થયેલો. તેમના પિતા પિટર જેમ્સ અને માતા એની રોલિંગ હતાં. નાનપણથી જ તેમને કાલ્પનિક (ફેન્ટસી) કથાઓ લખવાનો શોખ હતો. એ નાનપણમાં પોતાની નાની બહેનને પોતે ઘડી કાઢેલી વાર્તાઓ સંભળાવતી. યુવાનીમાં નાની દીકરીને બાબાગાડીમાં સૂવડાવીને સૂઈ રહે એટલી વારમાં વાર્તા લખતી.

* આજે તેમનાં પુસ્તકો બાઈબલ પછી સૌથી વધુ વંચાતાં પુસ્તકો ગણાય છે. તેમનાં પુસ્તકોની ૯૫ દેશોમાં, ૬૫ ભાષામાં ૪૦ કરોડથી વધુ નકલો વેચાઈ ચૂકી છે.    

* ૧૯૯૫માં તેમણે પોતાની પોટર સિરિઝની પહેલી બુક ‘હેરી પોટર એન્ડ ફિલોસોફર્સ સ્ટોન’ પોતાના જુનવાણી ટાઈપરાઈટર પર લખેલી. બારેક પ્રકાશકોએ આ પુસ્તકની સ્ક્રિપ્ટ જોઈને રિજેક્ટ કરી દીધેલી. આખરે બ્લૂમ્સબરી પબ્લિકેશને એક વરસ પછી માંડમાંડ પુસ્તક છાપવાની તૈયારી બતાવી. બ્લૂમ્સબરીના ચેરમેને એ વાર્તાનું પહેલું ચેપ્ટર પોતાની આઠ વર્ષની દીકરી એલિસ ન્યૂટનને વાંચવા આપેલું. તેને પસંદ પડયું એટલે તેઓ છાપવા માટે તૈયાર થયા. અલબત્ત, પ્રકાશકે તેમને સલાહ આપેલી કે આવી ચોપડીઓ લખવામાં બહુ પૈસા મળે એવી અપેક્ષા રાખશો નહીં, બીજી નોકરી શોધી લેજો.

* પહેલી આવૃત્તિમાં પહેલા ભાગની એક હજાર નકલો છપાયેલી જેમાં ૫૦૦ તો લાયબ્રેરીમાં ગયેલી. આજે એ પહેલી આવૃત્તિ એન્ટિક ગણાય છે અને એક નકલની કિંમત જાણકારો ૧૬૦૦૦ ડોલરથી ૨૫૦૦૦ ડોલર વચ્ચે આંકે છે. બાદમાં એ પહેલા ભાગને ચિલ્ડ્રન્સ બૂક ઓફ ધ યરનો એવોર્ડ મળેલો.

* તેમણે એક્સટર યુનિર્વિસટીમાં ફ્રેંચ સાથે બીએ કર્યું છે.

* ૧૯૯૦માં માન્ચેસ્ટરથી લંડન જતી વખતે ટ્રેઈન ચાર કલાક મોડી પડી ત્યારે તેમને સૌથી પહેલાં હેરી પોટર લખવાનો વિચાર આવેલો.

* ૧૯૯૨માં રોલિંગ પોર્ટુગલ શિફ્ટ થયાં અને ત્યાં અંગ્રેજી ટીચર તરીકેની જોબ શરૂ કરી. ત્યાં જ તેમણે ટીવી જર્નલિસ્ટ જોર્ગ આર્ન્સ્ટ સાથે લગ્ન કર્યાં. ૧૯૯૩માં તેમને એક દીકરી જન્મી અને એ જ વર્ષે તેમના પતિથી અલગ પડી ગયાં. એ પછી તેઓ પોતાની નાનકડી દીકરી સાથે સ્કોટલેન્ડના એડિનબર્ગમાં શિફ્ટ થઈ ગયાં.

* પહેલી નવલકથા પછી લખાણ ચાલુ રાખવા માટે તેમને સ્કોટિશ આર્ટ્સ કાઉન્સિલ તરફથી ગ્રાંટ મળેલી.
* નાનપણમાં એલિઝાબેથ ગોજની નવલકથા ‘ધ લિટલ વ્હાઈટ હાઉસ’ તેમની ફેવરિટ વાર્તા હતી.

* પહેલી બુકમાં લેખક તરીકે નામ જે.કે. રોલિંગ રખાયેલું, કેમ કે જોની રોલિંગ રાખે તો કદાચ બાળકો મહિલા લેખિકાને વાંચવાનું પસંદ ન કરે એવો તેને ડર હતો. બાદમાં પહેલી બૂક વાંચીને એક વાચકે પત્ર લખ્યો જેનું સંબોધન હતું ‘ડિયર સર.. ‘ કેમ કે તેને લાગેલું કે જે.કે. રોલિંગ કોઈ પુરુષ લેખક હશે.

બાયોગ્રાફી-  સંદેશ સંસ્કાર પૂર્તિ  ૮/૧/૨૦૧૨

દરેક માણસ કોઈ ને કોઈ અસલામતીમાં જીવે છે


હવે આથી વધુ શું ખાલી હાથે દિન વિતાવું હું?
કે મારી જિંદગી પણ મારા કબજામાં નથી હોતી.
 
વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું,
અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી?

- બરકત વીરાણી ‘બેફામ’

          જિંદગી અનિશ્ચિતતા અને અસલામતીથી છલોછલ છે. દરેક વ્યક્તિને કોઈ ને કોઈ વાતે અસલામતીનો અહેસાસ થાય છે. દરેક વ્યક્તિ કોઈ અજાણ્યા ભયમાં જીવે છે. આમ થશે તો? તેમ થશે તો? આટલાં વર્ષો મેં જે મહેનત કરી છે તેના ઉપર પાણી ફરી જશે તો? મારી પાસે જે છે તે હું ગુમાવી દઈશ તો? જાત જાતના ડરને કારણે માણસ તેની ‘નેચરલ લાઇફ’ જીવી શકતો નથી. બધા જ જાણે છે કે દુનિયામાં કંઈ જ સલામત કે સિક્યોર્ડ નથી, જિંદગી જ ક્યાં સિક્યોર્ડ છે? હવે પછીની ક્ષણોમાં શું થવાનું છે એની તમને ખબર છે? ના, આપણને ખબર નથી, તો પછી સતત ડરવાનું શા માટે?
અસલામતી કે અનિશ્ચિતતા એ ડરવાની વસ્તુ નથી, સમજવાની વસ્તુ છે, કારણ કે એ તો હાજર જ છે. તમે તેનાથી ભાગીને ક્યાંય જઈ શકવાના જ નથી. તમે ભાગશો તો પણ એ તમને પકડી લેશે. અસલામતીથી જરા પણ ડરો કે ડગમગો નહીં, કારણ કે આપણે તેની સાથે જ તો જીવવાનું છે.
          એક ફિલોસોફરે સરસ વાત કરી છે. માણસ એટલા માટે દુઃખી છે, કારણ કે તે સંપૂર્ણ અસલામત વિશ્વમાં સતત સલામતી શોધતો ફરે છે. એ સલામતી શોધી પણ લે છે અને પછી પાછો એ જ સલામતીની અસલામતી અનુભવે છે.
             એક યુવાન હતો. તેને સતત એવું થતું કે મને એક એવી વ્યક્તિ મળે જે મને ખૂબ જ પ્રેમ કરે. તેને એક યુવતી સાથે પ્રેમ થયો. તેને થયું કે હું જે ઇચ્છતો હતો એ મને મળી ગયું. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતાં. ધીમે ધીમે યુવાનને ડર લાગવા માંડયો કે મારો પ્રેમ મારાથી છીનવાઈ જશે તો? હું પાછો એકલો થઈ જઈશ તો? મારી પ્રેમિકા મને દગો દેશે તો? તેને થયું કે મારી આ મૂંઝવણ હું મારી પ્રેમિકાને જ કહું.
એક દિવસ તેણે આ વાત પ્રેમિકાને કરી. પ્રેમિકાને પૂછયું, કે તું મને આખી જિંદગી પ્રેમ કરીશને? પ્રેમિકા ખડખડાટ હસવા લાગી. પ્રેમિકાએ કહ્યું, મને ખબર નથી. આ પર્વતની ખીણમાં આપણે બેઠાં છીએ, ઉપરથી કોઈ મોટો પથ્થર હમણાં પડે અને હું મરી જાઉં તો? તને કાલની ખબર છે કે તું કાલે મારી સાથે હોઈશ? તો પછી આખી જિંદગીની ચિંતા શા માટે કરે છે? મને તો એટલી ખબર છે કે હું અત્યારે તારી સાથે છું અને તને પ્રેમ કરું છું. તું અત્યારે તારી સાથે નથી. તું આજમાં નથી. તું આવતી કાલમાં જીવે છે. આવતી કાલ જે તદ્દન અનિશ્ચિત છે, આવતી કાલ જે તદ્દન અસલામત છે. આજમાં જીવ. અત્યારે જીવ. ડર હટાવી દે. હવે પછીની ક્ષણની ખબર નથી અને તું આખી જિંદગીની ચિંતા કરે છે. આવું જ કરતો રહીશ તો તું ક્યારેય તારી સાચી જિંદગી જીવી નહીં શકે. કાલની મને ખબર નથી, કાલની મને ચિંતા પણ નથી. મને માત્ર એટલી ખબર છે કે અત્યારે હું છું, અત્યારે જેટલો પ્રેમ થાય એટલો પ્રેમ તને કરી લઉં.
            કેવું છે? કાલની ખબર નથી અને આપણે ‘ગેરંટી’ અને ‘વોરંટી’ શોધતા ફરીએ છીએ. બીમારીની ખબર નથી અને મેડિકલ ઇન્સ્યુરન્સ લીધે રાખીએ છીએ. કાલની ખબર નથી અને જીવનનો વીમો ઉતારીએ છીએ. એનો મતલબ એવો નથી કે કોઈ પ્લાનિંગ જ ન કરવું. પ્લાનિંગ કરવું જ જોઈએ, સલામતી વિચારવી પણ જોઈએ, છતાં એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે અસલામતીથી ડરવાનો કોઈ જ મતલબ નથી. અને હા, ગમે તેવી અસલામતીમાં પણ જિંદગી ટકવાની જ છે. સવાલ માત્ર એટલો ચિંતનની પળે જ હોય છે કે આપણે જિંદગીને કેવી રીતે સમજીએ છીએ.
                માણસને કઈ કઈ વાતનો ડર લાગે છે? ઘરનો, પ્રેમનો, સંબંધનો, જિંદગીનો અને નોકરી અથવા ધંધાનો. મજાની વાત એ છે કે આમાંથી કશું જ નિશ્ચિત નથી. આપણે એક વસ્તુ મેળવીએ છીએ અને પછી તેને પકડી રાખીએ છીએ. આપણે એટલા માટે જ પકડી રાખીએ છીએ, કારણ કે આપણને ડર છે કે એ આપણા હાથમાંથી છટકી જશે. એ છટકી જાય તો માણસ કંઈ જ કરી શકતો નથી, છતાં તેને જકડી રાખે છે.
માણસ સતત સલામતી માટે મથતો રહે છે. સલામતીની ચિંતામાં એ સરખું જીવતો પણ નથી. મને નોકરીમાંથી કાઢી મૂકશે તો? મારાં સંતાનોને કંઈ થઈ જશે તો?મારો દીકરો કે દીકરી પરીક્ષામાં ફેઇલ થશે તો?મારી દીકરીને સારું ઠેકાણું નહીં મળે તો?અરે, માણસ તો ત્યાં સુધી ડરતો રહે છે કે મારે કાલે વહેલી સવારે ટ્રેન કે ફ્લાઇટ પકડવાની છે એ હું મિસ કરી દઈશ તો?સવારે વહેલું ઉઠાશે નહીં તો? મોબાઇલમાં મૂકેલો એલાર્મ સવારે નહીં વાગે તો? મને કંઈક થઈ જશે તો? આ બધાંમાંથી કંઈ નિશ્ચિત નથી તો પણ આપણે ડરતાં રહીએ છીએ ને.
                   કાર્લ યુંગ નામના વિદ્વાને કહ્યું છે કે, માણસની વ્યાખ્યા દરેક માણસે સમજવી જોઈએ. માણસને તો ક્યારેય બદલવું હોતું જ નથી, પરંતુ માણસ એ માત્ર માણસ નથી. માણસ એટલે માણસ અને તેના સંજોગો. માણસ ભલે ન બદલે પણ સંજોગો તો બદલતા રહેવાના જ છે. સંજોગો બદલાય છે એટલે જ માણસ બદલાય છે. તમે તમારા સંજોગોને તમારાથી દૂર ન કરી શકો. સંજોગો એકસરખા રહેવાના જ નથી. આપણે સંજોગોની કલ્પના અને સંજોગોની શક્યતાઓ વિચારીને જિંદગીને જીવવાની મથામણ કરતાં રહીએ છીએ અને સંજોગો બદલીને સાવ જુદાં જ રૂપે સામે આવી જાય છે. એટલે જ કહેવું પડે કે જિંદગી જીવવી હોય અને જિંદગીને પ્રેમ કરવો હોય તો સંજોગોથી ડરો નહીં પણ સંજોગો સ્વીકારો. જિંદગી પ્રશ્ન આપે છે, એ પ્રશ્નનો જવાબ પૂરો કરીએ ત્યાં જિંદગી આખું ક્વેશ્વન પેપર જ બદલાવી નાખે છે.
                માણસ આખી જિંદગી પ્લાનિંગમાં વિતાવે છે. માણસ પાસે કાલનું પ્લાનિંગ છે, માણસ પાસે આખી જિંદગીનું પ્લાનિંગ છે. માણસ પાસે માત્ર અત્યારનું પ્લાનિંગ નથી, અત્યારે કેમ જીવવું એ તેને ખબર નથી, કારણ કે એ કાલના પ્લાનિંગમાં જ અટવાયેલો છે, એવી કાલ જેની કંઈ જ ખબર નથી.
               માણસ જ આખી જિંદગી અસલામતી અને અનિશ્ચિતાથી ડરતો અને ફફડતો રહે છે. કેટલાક લોકો તો જિંદગીથી એટલા બધા ડરી જાય છે કે એ આપઘાત કરવાનું વિચારવા લાગે છે કે આપઘાત કરી લે છે. તમને ખબર છે, માણસ સિવાય કોઈ જ જીવ ક્યારેય આપઘાત કરતો નથી. તમે કોઈ પક્ષીને ગળે ફાંસો ખાતા જોયું છે? કોઈ પશુએ ઝેર પીને જીવ દીધાનું તમે સાંભળ્યું છે? ઝરણાંનો રસ્તો બંધ કરી દો તો એ છલકીને બાજુમાં નવો રસ્તો કરી વહેવા લાગે છે. માત્ર માણસ જ અટકી જાય છે. એ એવું માનવા લાગે છે કે હવે કોઈ રસ્તો જ નથી. રસ્તો તો હોય જ છે, આપણે આપણી આંખો અને બુદ્ધિ બંધ કરી દઈએ છીએ એટલે આપણને રસ્તો દેખાતો કે સૂઝતો નથી.
                અસલામતીથી બચવાનો માત્ર એક જ ઉપાય છે અને એ ઉપાય એવો છે કે અસલામતીથી ક્યારેય ડરવું નહીં. યાદ રાખો કંઈ જ સલામત નથી. આપણે જે સલામતી શોધી કે ગોઠવી છે એ સનાતન નથી. માત્ર અસલામતી જ સનાતન છે. માત્ર સલામતી પાછળ ન દોડો, અસલામતીને સ્વીકારો. કોઈ સંજોગથી થથરી ન જાવ, કોઈ વાતથી ડરી ન જાવ. તમે છો તો બધું છે. જે બદલાય છે એ માત્ર એક પરિસ્થિતિ હોય છે, જે ફરીથી બદલાવાની હોય છે.
                 દરેક માણસ જાણે છે કે આપણું ધાર્યું કંઈ થવાનું નથી, છતાં દરેક માણસ સતત એવું જ ઇચ્છતો અને કરતો રહે છે કે પોતાનું ધાર્યું થાય. કંઈ જ આપણા ‘કંટ્રોલ’માં નથી, છતાં આપણે બધું જ ‘કંટ્રોલ’ કરવું હોય છે અને આ ‘કંટ્રોલ’ની ઉપાધિમાં આપણે આપણા પરથી જ ‘કંટ્રોલ’ ગુમાવી દઈએ છીએ. સ્વીકારી લો કે કંઈ જ સલામત નથી, અસલામતીથી દુઃખી ન થાવ. આજમાં જીવો, અત્યારે જીવો, આ ક્ષણ તમારી છે અને તમે એ ક્ષણના છો? આપણે સમયથી ભાગી અને તેનાથી આગળ નીકળી જવાનો ખોટો પ્રયાસ કરતા રહીએ છીએ અને કાલની ચિંતામાં જીવીએ છીએ. મજા અત્યારે છે, આનંદ આ ક્ષણે છે, સુખ તમારી પડખે છે. જે અસલામતી લાગે છે એ અણસમજ છે. ડરતાં રહેશો તો ક્યારેય જિંદગી જીવી નહીં શકો. કોઈ વાતનો અફસોસ ન કરો, કોઈ વાતની ચિંતા ન કરો. જિંદગી જેવી છે એવી ખુલ્લા દિલે જીવો, તો જ જિંદગી જીવવાની મજા આવશે.


છેલ્લો સીન
જીવન એટલે માણસનો એવી પરિસ્થિતિ સામેનો સંઘર્ષ જે તેને દબાવી દેવા માગે છે.
-  સ્વામી વિવેકાનંદ

 ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ

ગુરુવાર, 12 જાન્યુઆરી, 2012

પ્રાર્થના

સ્વામી વિવેકાનંદ
જયારે મેં પ્રભુ પાસે શક્તિ માગી
તેણે મને સામનો કરવા મુશ્કેલીઓ આપી

જયારે મેં પ્રભુ પાસે ચતુરાઈ અને બુધ્ધિ માંગી
તેણે મને જીવનના અજીબોગરીબ કોયડા ઉકેલવા આપ્યા

જયારે મેં પ્રભુ પાસે ખુશીઓ માંગી
તેણે મને અન્ય દુ:ખી લોકો બતાવ્યા

પ્રભુ પાસે જયારે મેં અઢળક સંપતિ માંગી
તેણે મને સખત મહેનત કરવાના રસ્તા બતાવ્યા

પ્રભુ પાસે જયારે મેં આશીર્વાદ માંગ્યા
તેણે મને મહેનત કરી તકો મેળવતા શીખવ્યું

પ્રભુ પાસે મેં મનની શાંતિ માંગી
તેણે મને મુસીબતમાં આવેલાની મદદ કરવા શીખવ્યું

પ્રભુ એ મને જે જોયતું હોય એ કાંઈ ના આપ્યું
તેણે મને એ બધુંય આપ્યું જેની મને જરૂર હતી

- સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદ : પત્રો અને પશ્ચિમ !


btKm fjtftult ònuh ÔgtÏgtltubtk suxjtu «dx l:e :;tu, yuxjtu rbrlxtule ykd; Jt;ae;btk «dx :E Nfu Au. ytsu bntl Ôg¾;ytule ytJe Nç’tult fu «r;mt’lt CthK rJltle ykd; ûtKtu xurjVtul vh Ïþju ylu Feju Au. vK yuf m’e (fntu fu mtb rvºttuzt) vnujt ytJe yrCÔg¾; btºt vºttubtk :;e. btxu sd;Chlt yu ft¤lt bntÃþY»ttuLþk vºtmtrnðg ftuE vK yÇgtMþlu btxu yKbtuj Au.
bntÃþY»tle Jt; ytJu ylu Jehlh MJtbe rJJuftlk’Lþk ltb gt’ l ytJu? ytsu ;tu ytJu s. 12 òLGþythe yu MJtbeSltu sLbr’l Au. J¤e, ht»x[eg GþJt r’lt vK Au. btxu ytsu cklulu gt’ fhJt vzu. vK fuJe he;u? GþJftulu hm ;tu MJtbe rJJuftlk’lt Vtuxtbtk Au. cnw cnw ;tu murblthtubtk Cux b¤;e MJtbeSlt «Jaltu ylu M˺ttule øþxftmtEÍle atuvzeytubtk Au. yu rmJtg c"t s GþJtJdoLþk mD¤wk ægtl vrùb ylu vtùtðg mkMf]r;btk vhtuJtE dGþk Au, yuÔþk Dhze btlrmf;tJt¤t DKt btlu Au.
rcatht MJtbeS! ’huf Jt;lt WkztKbtk sJtle ylu rJathlu ÃËhuÃËhtu vfzJtle yuble rNFtbK yublt yLþgtgeytu s btl;t l:e, ðgtk yuble rJ’tglt 100 J»to vAelt Cth;le Ne Jt; fhJe? htsfeg vûttu:e jElu mtbtSf mkM:tytu MJtbeSle ;mJehtulu nth;tuht fhu Au. vK MJtbeSlt yûth’un Yvu s¤Jtgujt ÃþM;ftu JtkaJtle ;m’e juJtle yublu Vwhm’ l:e. vÂçjflu vK ;ule vze l ntuElu cklu vûtle ytcY s¤JtE òg Au!
yule Ju, ytudKembe ylu Jembe m’elt «ðguf Cth;eg ¢tkr;ftheytule btVf MJtbeSlt Dz;hbtk vrùbe vJltultu FtMmtu bnðJltu Vt¤tu n;tu. yuble d{k:bt¤tlt ÃþM;ftu (¢b 5,10,11,12)btk Avtgujt yublt vºttubtk sht vtùtðg mkMf]r; ylu SJl ykdu yuble s yurmrzf vtKelt ÎËkxzt ChJt suJt Au. GþJtltu ylu MJtbeSle Jt; ytJu, yuxju ‘b’o cltu¥, ‘rmkn cltu¥Lþk d{tEv Jtuxh veJztJe ’uJtg Au. d{tu yv. nJu sht yKe’th ELsu¾NLm CtukftJt òuEyu. òu JeK;t ylu ÃËJod{ntu:e ytÍt’ :Elu rJath;t ytJzu... ;tu òKu vtùtðg mkMf]r; ;hV "LgCt; "htJ;tu ftuE 2005ltu xelyush ctuju, yuLþk vrùbÃþhtK MJtbeSlt blbtk ylu yuxju vºttubtk XjJtGþk Au. :tuzwkf atFe jtu &

(1) nrhv’ rbºtlu, rNftdtu:e & yn´lt suJe mkMfthe ylu MþrNrût; Mºteytu buk cesu ¾âtkg òuE l:e. ytvKt ’uNbtk MþrNrût; ÃþY»ttu ;tu Au vK yn´lt suJe Mºteytu Ctøgu s òuJt b¤u... yntu! ;uytu fuxje MJ;kºt Au! mtbtSf ylu ltdrhf f;oÔgtuLþk ;uytu s rlgbl fhu Au. yn´ Nt¤tytu ylu ftujuòu Mºteytu:e WChtg Au, ßgthu ytvKt ’uNbtk ;tu Mºteytulu hM;t vh mjtb;e:e VhJt vK l ’uJtg! ....yn´ Mºteytu fuJe vrJºt ylu mkgbe ntug Au! nJtbtk Wz;t vûteytu suJe Bþ¾; ntug Au... vimt fbtg ylu ;btb «fthLþk ftgo fhu. hFulu ytvKe Atufheytu C{Ð ylu yler;bg :E sNu, yu Cgu ytvKu yublu yrdgth J»tobtk vhKtJe ’uJtbtk cnws atu¬m Aeyu.
ytægtÂðbf;tle ctc;btk yburhfltu ytvKtk fh;t DKu ’hßsu W;h;t Au. vK yubltu mbts ytvKt mbts fh;t DKu ’hßsu arzgt;tu Au. (28 rzmuBch, 1893)
(2) øþYckæþytulu, LGþgtufo:e & yt ’uNle yvhKe; Atufheytu cnw Cje Au ylu ÏËc MJbtle Au... ;ublu bl Nhehle muJt yu s btuxe JMðþ Au, ;uytu ;ulu Dmelu Ws¤wk fhu Au lu ;btb «fthLþk jût ytvu Au. lF ftvJtlt nòhtu mt"l, Jt¤ ftvJtlt ’m nòh ylu vtuNtf, Mltlmtbd{e ;:t Mþdk"e ÷Ôgtule rJrJ";tle ;tu dK;he s ftuK fhe Nfu? ;uytu Cjt MJCtJlt btgt¤w lu mðgrl»X Au. ;ubLþk cæþk mthwk Au, vhkðþ Ctud s ;ubltu Eµh Au. yt ’uNbtk "l l’elt «Jtnle sub Jnu Au. mtik’go ;ult Jb¤tu Au, rJ¼t ;ult btuòk Au. ’uN btusNtuFbtk yt¤tuxu Au.
yn´ b¬b;t ylu N¾;Lþk y’TÇË; ’Nol :tg Au. fuÔþk Jt¤, fuJe ÔgJnth’ût;t lu fuÔþk vtiY»t!... yn´ sch’M; N¾;ltu ytrJCtoJ lshu azu Au... Bˤ Jt; vh ytÔþk ;tu yt ’uNle Mºteytulu òuElu bthe y¬j ftb fh;e l:e! òKu nwk ct¤f ntuWk ;ub ;uytu blu ’wftltuyu ;:t cesu c"u jE òg Au. ;uytu c"e ò;lt ftb fhu Au. nwk ;tu ;uytult mtu¤bt CtdLþk vK l fhe Nfwk. ;uytu mtuk’gobtk jûbe suJe Au, m’TøþKtubtk mhMJ;eytu Au. ;uytu FhuFh bt CdJ;eltu yJ;th Au. ;ublu CsJt:e btKmlu mJobtk ÃËKo;t b¤u Au. nu CdJtl! ytvKu ~þk btKmtubtk dKtE yuJt Aeyu?.... yn´le Mºteytulu òuElu nwk FhuFh ytùgoarf; :E òWk Awk. bt CdJ;e ;ublt vh fuxjtk f]vt¤w Au! ;u fuJe y’TÇË; ltheytu Au! (25 mÃxuBch, 1894)
(3) MJtbe htbf]»Ktklk’ (NNe)lu rNftdtu:e & jtuftu (yn´) fjt ylu mt"lmtbd{ebtk mti:e ytd¤ vz;t Au. ytlk’«btu’ ylu btusNtuFbtk ytd¤ vz;t Au, ;:t vimt fbtJt ylu JtvhJtbtk btuFhu Au... jtuftu suxÕþk fbtg Au, ;uxÕþk Fauo Au.
ceòLþk Fhtc ctujÔþk ylu ceòle bntl;t òuElu Ó’gbtk c¤Ôþk yu ytv½þk (Cth;Lþk) ht»x[eg vtv Au. (òKu) ‘bntl;t ;tu bthtbtk s Au. ceò ftuElu ;u b¤Je l òuEyu!¥
yt ’uNle Mºteytu suJe ’wrlgtbtk cesu ¾âtkg l:e. fuxje vrJºt, MJ;kºt, ytðb©ØtJt¤e ylu btgt¤w! Mºteytu s yt ’uNLþk SJl ylu ytðbt Au. ;uytubtk c"e rJ¼t ylu mkMfth fuÂL÷; Au. yburhftle Mºteytu òuElu nwk ytùgo:e BËf :E òWk Awk. yn´ nòhtu Mºteytu yuJe Au, sublt bl yt ’uNlt chV suJt ~þC ylu vrJºt Au... ßgthu ytvKu çËbtu vtzeyu Aeyu, ‘btgtYve yt lthe ftuKu mseo?¥ ylu yuÔþk yuÔþk CtE! ’rûtK Cth;btk Wåa JKolt jtuftu leajt JKolu su he;u vsJu Au, ;ult Cgkfh yLþCJtu blu :gt Au. bkr’htubtk s fuJt nel ÔgrCath atju Au! ...su ’uN (Cth;)btk jtFtu jtuftu bnwztlt Vqj FtElu SJu Au ylu ’m-Jem jtF mtæþytu ylu yuft’ fhtuz c{tñKtu yt dhec jtuftuLþk jtune åËmu Au... ;ulu ’uN fnuJtu fu lhf? yt ;u "bo fnuJtg fu rvNtaLþk ;tkzJ! CtE, yn´ yuf Jt; ÃËhe mbS juNtu. buk ytFt rnk’le BþmtVhe fhe Au ylu yburhft vK òuGþk Au... ytvKt suJe ‘fqvbkzqf;t¥ sd;btk cesu ¾âtkg òuE l:e. vh’uNbtk:e fkE vK lÔþk ytJNu fu vnuÕþk yburhft ;u MJefthNu. ßgthu ytvKu? ‘ytvKe ytgo «ò suJt btKmtu sd;btk Au s ¾âtk!¥ yt ‘ytgoðJ¥ ¾âtk ’uFtg Au ;u s nwk òuE Nf;tu l:e! (19 btao, 1894)
(4) ytjtrmkdt vuYbj ;:t rN»gtulu, LGþgtufo:e & ytvKt ÃËJoòuyu "trbof rJathtulu Bþ¾; htÏgt ylu ytvKlu vrhKtbu yÃËJo "bo bégtu. vK ;ubKu mbtslu Cthu mtkf¤tu:e sfze htÏgtu ylu vrhKtbu ytvKtu mbts, xqkfbtk fneyu ;tu, Cgkfh viNtae cle dgtu Au. vrùbbtk mbts nkbuNtk MJ;kºt n;tu. ;uLþk vrhKtb swytu. cesw ctswyu ;ublt "bo ;hV lsh fhtu.
rJftmle «:b Nh; Au & MJ;kºt;t. sub btKmlu rJathle fu JtKele MJ;kºt;t ntuJe òuEyu, ;u s he;u ;ulu ytnthbtk, vnuhJuNbtk, jølbtk ylu ceS c"e ctc;tubtk ceòlu ntrl l fhu ðgtk Mþ"ele Aqx ntuJe òuEyu.
ytvKu Ctir;f mkMf]r; rJYæ" BËFtoE Chuje Jt;tu fheyu Aeyu, fubfu ÷tût Ftxe Au. yt c"e BËFtoEChe cztEle Jt;tu A;tk vK btltu fu mbd{ Cth;btk btºt yuf jtF suxjtk s Mºte ÃþY»ttult mtat ytægtÂðbf rJftmlu Ft;h ~þk ºtem fhtuz (yu mbglt Cth;le Jmr;)lu skdjevKt ylu ÇËFbhtbtk zqctzJt?.... Bþmjbtltuyu rnk’wytu vh rJsg bu¤Ôgtu ;u Ne he;u N¾â cLGþk? ;uLþk fthK nðþk-Ctir;f ctc;btk rnk’wytuLþk y¿ttl!... dhectulu ftb ytvJt btxu Ctir;f mkMf]r;, yhu CtudrJjtm MþØtk sYhe Au. ... Cth;btk cnw cnw ;tu ;bthe «Nkmt :Nu. vK ;btht ftb btxu yuf vimtu vK b¤Nu ln´! (19 lJuBch, 1894)
(5) E.xe. Mxzelu, LGþgtufo:e & yJ~g, nwk Cth;lu atnwk Awk. vK r’Jmu r’Jmu bthe ÷rÐ J"thu atuÏFe :;e òg Au. Cth;, EkøjuLz fu yburhft, ybthu bl ~þk Au? ybu ;tu sulu y¿ttleytu ‘bLþ»g¥ fnu Au, ;u Eµhlt ’tm Aeyu. su Bˤbtk vtKe huzu Au ;u ytFt Ô\ûtlu vtKe vt;tu l:e? mtbtSf, htsfeg fu ytægtÂðbf fÕgtK btxule ÇËrbft btºt yuf Au & ;u yu fu nwk ylu bthtu ckæþ ‘yuf¥ Aeyu yuLþk Ctl. c"t ’uNtu ylu c"t jtuftu btxu yt mtåþk Au ylu nwk ;blu fne ’Wk fu vtiJtoðgtu fh;tk vtùtðgtu ;ultu J"thu Ízv:e mtûttðfth fhNu. (9 ytudMx, 1895)
(6) ’eJtl nrh’tm rcnthe ’umtElu, rNftdtu:e & ÃËJo ylu vrùb Jåau mbd{ ;VtJ; ytb Au & ;uytu ht»x[tu Au, ytvKu l:e. yuxju fu mB\rØ, mkMf]r;, rNûtK Jduhu yn´ vrùbbtk mnwlu b¤u Au. ytb sl;t Mþ"e vntukae òg Au. Cth;lt ylu yburhftlt Wåa Jdtuo ;tu yuf «fthlt Au, vK cklu ’uNtult leajt Jdtuo Jåault jtuftuLþk yk;h ydt" Au... vrùblt jtuftu vtmu bntl bLþ»gtulu vmk’ fhJtLþk ûtuºt J"thu rJNt¤ Au. btht btgt¤w rbºt, btht rJNu yLg:t l mbsNtu, vK ytvKe «òbtk s btuxe Ftbe Au, ylu ;u ’qh fhJe òuEyu. (20 sql, 1894)
(7) bkMËhlt bnthtòlu, rNftdtu:e & yt ’uN (yburhft) y’TÇË; Au, ylu yt «ò vK DKe he;u y’TÇþ; Au. yt ’uNlt jtuftu htuSk’t ÔgJnthbtk gkºttultu Wvgtud fhu Au, ;uxjtu ceS ftuE «ò fh;e ln´ ntug. gkºttu mJoMJ Au... ;uble ’tuj; ylu MþFmt"ltulu ftuE mebt l:e... bthtu rlKog ;tu yu Au fu ;u jtuftulu J"thu ytægtÂðbf mkMf]r;le ylu ytvKlu J"thu Ctir;f mkMf]r;le sYh Au. (23 sql, 1894)
(8) ytjtrmkdt vuYbjlu, yburhft:e & ;btht (Cth;lt) ÃËJoòuyu ytðbtlu ;btb «fthle MJ;kºt;t ytve. vrhKtbu "boltu rJftm :gtu. vhkðþ yu ÃËJoòuyu Nhehlu ;btb «fthlt ck"ltubtk sfze htÏGþk ylu vrhKtbu mbtsl rJftm yxfe dgtu. vrùblt ’uNtubtk yt:e Wjxwk cLGþk. ;ubKu mbtslu ’huf «fthle MJ;kºt;t ytve, vK "bolu fkE lrn... vhkðþ ÃËJo ylu vrùb cklultu yt’No ytdJtu ylu rCLl hnuNu. Cth;ltu yt’No "trbof y:Jt yk;BþoFe, ylu vrùbltu Ji¿ttrlf y:Jt crnBþoFe. vrùb ytægtÂðbf;tltu yufuyuf fK mtbtSf Mþ"thKt îtht EåAu Au. ;uJe s he;u ÃËJo vK mtbtSf m•ttltu yufuyuf ykN ytægtÂðbf îtht EåAu Au. (29be mÃxuBch, 1894)
(9) ©eb;e mhj Dtu»tjlu, c’oJtl bnthtòltu ckdjtu (’tseorjkd):e & bthe nkbuNt yu ÷Z btLg;t hne Au fu ßgtk Mþ"e vrùblt jtuftu ytvKe b’’ ln´ ytJu, ðgtk Mþ"e ytv½þk Wð:tl :E NfNu lrn. ytvKt ’uNbtk nS øþKle f’h suÔþk f~þk ’uFtðþk l:e, ltKtkfeg c¤ l:e, ylu mti:e J"thu Ntualeg ;tu yu fu ;ubtk ÔgtJntrhf;tLþk ;tu ltbrlNtl vK b¤ðþk l:e. ftgtuo ;tu yluf fhJtlt Au, vhkðþ yu fhJtlt mt"ltu yt ’uNbtk Wvjç" l:e. ytvKe vtmu çþrØ Au, vK ftgofhtu l:e. ytvKe vtmu Ju’tk;ltu rmØtk; Au, vK ;ulu ÔgJnthbtk W;thJtle N¾; l:e. ytvKt d{k:tubtk mtJorºtf mbtl;tltu rmØtk; rlYrv; Au, vK ÔgJnthbtk ytvKu btuxt Cu’tu WCt fheyu Aeyu... yt ’uNlt jtuftubtk mtbÚgo ¾âtk Au? ltKt FaoJtle N¾; ¾âtk Au?... yt ’uNlt jtuftu mkvr•tle f]vt:e Jkra;, Vqxujt lmecJt¤t, rJJufçþrØ rJntuKt, v’’rj;, ftgbe ÇËFbhtltu Ctud clujt, fSgtFtuh ylu E»tto¤w Au.
...MJt:o ylu ytm¾;hrn; mJtuoåa fûttlt ftgoltu ctu" Cth;btk s yvtgtu n;tu. vK ÔgJnthbtk ‘ytvKu¥ s yðgk; ¢qh ylu rl»Xwh Aeyu. (6 yur«j 1897)
(10) rbm buhe nuEjdu, LGþgtufo:e & mk«’tgtu ylu ;ublt A¤«vkatu, d{k:tu ylu øþkztdeheytu, Mþk’h anuhtytu ylu sqXt Ó’gtu, mvtxe vh ler;b•ttlt çËbchtzt ylu leau mtJ vtujkvtuj ylu mti:e rJNu»t ;tu vrJºt;tltu ytka¤tu ytuZtzuje ’wftl’the-yt c"t:e Chujt yt sd; «ðgu, yt MJ¡ «ðgu, yt Cgkfh C{bKt «ðgu blu r"¬th Aqxu Au. (1 Vuçþ{ythe, 1895)
(11) ytjtrmkdt vuYbjlu, rNftdtu:e & E»tto «ðguf øþjtb «òltu BþÏg ’wøþoK Au... ßgtk Mþ"e ;bu Cth;J»tole cnth lrn òJ, ðgtk Mþ"e btht rJ"tlbtk hnujt mðgltu ;blu «ðgût yLþCJ lrn :tg. vrùbJtmeytule mV¤;tLþk hnMg ;uble yt mkdXlN¾;btk hnuÕþk Au. mkdXlN¾;ltu vtgtu Au vhMvh rJµtm ylu yufbuflt ÷rÐrck’w mbsJtle N¾;. (1894)
(12) MJtbe htbf]»Ktlk’ (NNe)lu, yburhft:e mkfwra; rJathtu:e s Cth;ltu rJltN :gtu Au. ytJt rJathtu rlBˤo l fhtg ðgtk Mþ"e ;ule ytct’e :Je yN¾â Au. bthe vtmu vimt ntu; ;tu nwk ;blu ’huflu sd;lt «Jtmu btufj;. btKm ltlfzt ÏËKtbtk:e cnth l lef¤u, ðgtk Mþ"e ftuE bntl yt’Nolu Ó’gbtk M:tl l:e b¤ðþk. mbg ytÔgu yt FÁk mtrc; :Nu. (1895)
hezhrcht’h, yt zÍlck" ykNtu ÃËht vºttu l:e. yuÔþk l:e fu MJtbeSyu Cth;le xeft fu vrùblt JFtK s fgto Au. dhece, ’kC, Ju’tk;, muJt DKt rJ»tgtu vh D½þcæþk yubtk Au. vK ytvKtu rJ»tg ytslt GþJtllu r«g ‘vtùtðg mkMf]r;¥ n;tu. ctujtu, ~þk fnuNtu ? yuf m’e:e J"thu mbg vnujtltu rJJuftlk’ltu yt yt¢tuN (’uN «ðgu) ylu yntuCtJ (vrùb «ðgu)ytsu ;tu f’ta Jæþ mtatu jtdu Au. ylu yt yrC«tgtu fkE Cth;lu l ytu¤Flth Bþø" ylu JuMxlo øjubh:e ykògujt rfNtuhlt l:e. ytb vK, Cth;lt NtMºttule btVf mnsvKu s MJtbe rJJuftlk’le yluf Jt;tu-rJathtubtk rJhtu"tCtm fu yuftkde ytJudLþk òuh ylu btirjf;tltu yCtJ vK òuJt b¤u. vhkðþ yuble Jeh;t fu Eht’t fu ’uN«ub «ðgu ;tu Nkft s l ntug. MJtbeSlt rJathtu fuxJt mtat-Ftuxt yule aatolu ;tu yu Ïþ’ s ‘Ôg:o rJ;kztJt’¥ fnelu nme ftZu. fÁK;t ;tu yu Au fu MJtbeSle JtnJtne ylu vtuMxhtu c"u s Au-vK yubKu EåAe n;e yu Bþ¾; fu mkvr•t Cth;eg GþJtvuZelu yuf m’e vAe vK b¤e l:e. ytsu nsw g Cth; XuhLþk Xuh Au..ylu 100 J»to vnujtltu sbtltu vK ¾âtk m;Gþd n;tu ? Jtkatu rJJuftlk’Slu !

- જય વસાવડા (અનાવૃત ૧૨/૧/૨૦૦૫ )

બુધવાર, 4 જાન્યુઆરી, 2012

ગઝલ

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ?

નયનના કોઈ ખૂણામાં પડ્યું છે ધાન આંસુનું,
અમે એમાં મૂક્યાં છે સ્વપ્ન કાચાં પાકવા માટે.

કર્યું છે એક ચપટીમાં જ તેં આખુંય જંગલ ખાક,
ન ગમતા એક એવા પાંદડાને કાઢવા માટે.

સરોવરમાં જઈને નાખ કે જઈને નદીમાં ફેંક,
ફક્ત ખાબોચિયાં છે આ બધાં તો ખારવા માટે.
 
કયો છે સ્વાદ કોના ભાગ્યમાં ના જાણતું કોઈ,
બધાને ઈશ્વરે જીવન દીધું છે ચાખવા માટે.
 
- અનિલ ચાવડા

wallpaper 10


નવા વર્ષે સંકલ્પ કરો - મારી જિંદગી હું પૂરી ભવ્યતાથી જીવીશ

રોજ સાંજે ને સવારે હોય શું? એક ઇચ્છાથી વધારે હોય શું?
જો હૃદયમાં બેસી ગઈ હો પાનખર, તો બગીચે ને બહારે હોય શું?
- દિનેશ ડોંગરે ‘નાદાન’

આજથી નવું વર્ષ શરૂ થયું. માણસને શું ફેર પડે છે? વર્ષ તો આવે અને જાય. આપણે ન હતા ત્યારે પણ વર્ષ બદલાતું હતું, આપણે નહીં હોઈએ ત્યારે પણ વર્ષ બદલાશે. રોજ જેવી જ સવાર છે અને દરરોજ જેવી જ રાત હશે. માત્ર કેલેન્ડર બદલાય છે, બીજું કશું જ નહીં. આવું વિચારવું હોય તો વિચારી શકાય.


એ સિવાય થોડુંક જુદી રીતે પણ વિચારી શકાય. આજથી એક નવી શરૂઆત થાય છે. એક નવી કૂંપળ ફૂટે છે. આ કૂંપળમાંથી ધીમે ધીમે ફૂલ બનશે. સૂરજના પહેલા કિરણ જેવી નજાકત આ નવા વર્ષના પહેલા દિવસમાં છે. દરેક નવી શરૂઆત સાથે જિંદગીમાં પણ કંઈ નવીનતા ઉમેરાવી જોઈએ, કારણ કે જિંદગીથી ઉત્તમ અને જિંદગીથી સુંદર કંઈ જ નથી. અંગ્રેજીમાં એક વાક્ય છે, નથિંગ ઈઝ લાર્જર ધેન લાઈફ.


ગયા વર્ષની કઈ એવી ઘટના છે જે તમને મમળાવવાનું મન થાય છે? ગયા ૩૬૫ દિવસમાં કયો દિવસ તમારા માટે ‘બેસ્ટ ડે ઓફ ધ યર’ હતો? કયું દૃશ્ય તમને યાદ આવે છે? તમારી સાથે શું સારું બન્યું હતું? યાદ કરવા માટે વિચાર કરવો પડે છે, કારણ કે આપણે સારું ઝડપથી ભૂલી જઈએ છે.આપણે ચુંબનને ભૂલી જઈએ છીએ ને થપ્પડને યાદ રાખીએ છીએ.


જિંદગી કેવી છે? દોસ્તી યાદ રાખવી પડે છે અને નફરત ભુલાતી નથી. ફ્રેન્ડશિપ ‘ફ્રેશ’ નથી અને નફરતમાં ‘ગ્રેસ’ નથી. જિંદગી ‘ગ્રેસફુલ’ હોવી જોઈએ. ગમે તે થાય હું મારો ‘ગ્રેસ’ ગુમાવીશ નહીં. દરેક જિંદગીની એક ભવ્યતા છે. તમારી જિંદગી કેટલી જાજરમાન છે? તમને તમારું કેટલું ગૌરવ છે?


આજે નવા વર્ષના દિવસે તમને એમ કહેવામાં આવે કે તમારે એક વ્યક્તિને માફ કરવાની છે. તો તમે કોને માફ કરો? એક ઘટના તમારે કાયમ માટે ભૂલી જવાની છે, તો તમે કઈ ઘટના ભૂલી જાવ? એક માણસ સંત પાસે ગયો. સંતને પૂછયું કે, માણસ દુઃખી શા માટે છે? સંતે કહ્યું કે, સાવ સરળ અને સીધું કારણ છે માણસ દુઃખી એટલા માટે થાય છે, કારણ કે જે ભૂલવાનું હોય એ ભૂલતો નથી અને જે યાદ રાખવાનું હોય એ ભૂલી જાય છે. આ ક્રમને ઉલટાવી નાખો તો સુખ જ સુખ છે.


જિંદગીએ ત્રણ પાનાંનું પુસ્તક છે. બે પાનાં તો કુદરતે અગાઉથી જ લખી નાખ્યાં છે આ બે પાનાંમાં પહેલું પાનું છે, જન્મ. અને ત્રીજું પાનું છે મૃત્યુ. માત્ર વચ્ચેનું પાનું ભગવાને આપણા માટે છોડયું છે. આ પાનું એટલે જિંદગી. તમારે આ પાનામાં શું લખવું છે? આ પાનામાં તમારે કેવું ચિત્ર દોરવું છે, સોહામણું કે બિહામણું? કેટલું રડવું છે અને કેટલું હસવું છે? કેટલો પ્રેમ કરવો છે અને કેટલી નફરત? ચોઈસ ઈઝ યોર્સ. પસંદગી તમારે કરવાની છે.


જિંદગી જીવો, કારણ કે જિંદગી બીજી વખત નથી મળવાની. આપણે ઘણા પ્રશ્નોમાં કારણ વગરના ઉલઝતા હોઈએ છીએ? ભગવાન રજનીશને એક વખત એક માણસે સવાલ કર્યો. તમારા આશ્રમમાં તો બધું જ ‘બેફામ’ છે. બધા લોકો બિન્ધાસ્ત વર્તે છે, કોઈ વાતનો છોછ નથી, ઘણું બધું એવું ચાલે છે જે યોગ્ય નથી. રજનીશે શાંતિથી ઉત્તર આપ્યો કે એમાં મારે શું? પેલા માણસે આશ્ચર્ય સાથે કહ્યું કે, તમે કેવી વાત કરો છો? આ આશ્રમ તો તમારો છે.


રજનીશે હળવાશથી કહ્યું, આશ્રમ મારો છે તો પછી એમાં તારે શું? આપણે જિંદગીના કયા પ્રશ્નને આટલી હળવાશથી લઈએ છીએ?


તમને ક્યારેય એવું લાગે છે કે આપણે જિંદગીને વધુ પડતી ગંભીરતાથી લઈએ છીએ? જિંદગી ગંભીર છે જ નહીં. જિંદગી તો સાવ હળવી છે. આપણે તેને ભારે અને ગંભીર બનાવી દઈએ છીએ. આપણે આપણો ‘ગ્રેસ’ અને ગૌરવ ગુમાવી દઈએ છીએ. ગમે તે થાય જિંદગીમાં ‘ગ્રેસ’ ન ગુમાવો. પ્રેમમાં પણ નહીં અને નફરતમાં પણ નહીં.


એક માણસે તેના મિત્રને પૂછયું પ્રેમ કરવો અઘરો છે કે નફરત? મિત્રએ જવાબ આપ્યો કે નફરત કરવી વધુ અઘરી છે, કારણ કે નફરતમાં વધુ ‘ગ્રેસ’ની જરૂર પડે છે. દોસ્તી રાખવી સહેલી છે પણ દુશ્મની નિભાવવી અઘરી છે. ગમે એવી નફરત હોય તો પણ માણસે મક્કમ રહેવું જોઈએ કે ના હું આવું તો નહીં જ કરું, હું મારું ગૌરવ ગુમાવીશ નહીં. ઘણી વખત માણસનું સાચું માપ દોસ્તીમાં નહીં પણ નફરતમાંથી નીકળે છે.


બે પ્રેમી હતાં. બંને વચ્ચે કોઈ બાબતે મનદુઃખ થયું. બંને જુદાં પડી ગયાં. એક વખત પ્રેમિકાને કોઈ કહ્યું કે, એ તો તારા વિશે એલફેલ બોલતો હતો. તું સારી નથી એવું કહેતો હતો. આ વાત સાંભળીને પ્રેમિકાએ કહ્યું કે આ વાત ખોટી છે એ મારા વિશે આવું બોલે જ નહીં, કારણ કે હું એ માણસને ઓળખું છું. આજે ભલે અમે જુદાં છીએ પણ એક સમયે અમે ભરપૂર પ્રેમ કર્યો હતો. તે મારા વિશે કેવું વિચારી શકે એ હું વિચારી શકું છું. ભલે અમે જુદાં થઈ ગયાં પણ મને એ માણસનું ગૌરવ છે. પેલા માણસે કહ્યું કે હું તો માત્ર થોડુંક ખોટું બોલીને તને ચકાસતો હતો. તારા જૂના પ્રેમીએ તો એવું જ કહ્યું હતું કે, તું સારી છે. અમુક બાબતે અમારે ન બન્યું પણ તેનો મતલબ એ નથી કે તે ખરાબ થઈ ગઈ. આપણા કેટલા સંબંધ આ કક્ષાના હોય છે? આપણે જુદા પડીએ પછી કેમ એકબીજાને બદનામ જ કરીએ છીએ.


બે મિત્રો વચ્ચે ઝઘડો થયો. એકે કહ્યું કે આપણો સંબંધ આજથી પૂરો. બીજા મિત્રએ કહ્યું કે, હશે. આપણો એક સંબંધ પૂરો થયો અને કદાચ નવો, જુદો અને નફરતનો સંબંધ શરૂ થાય છે. આ પણ એક સંબંધ નથી? નફરતથી પણ આપણે એક-બીજાને યાદ તો કરવાના જ છીએ. ચાલ, છૂટા પડતી વખતે એક નિર્ણય કરીએ કે જ્યારે યાદ કરીશું ત્યારે આપણે આપણાં સારા દિવસો અને સાથે વિતાવેલો શ્રેષ્ઠ સમય યાદ કરીશું. દોસ્ત, પૂરું તો એક દિવસ બધું જ થવાનું છે. જિંદગી પણ. નફરત સાથે શા માટે કંઈ પૂરું કરવું? અને હવે સંબંધ પૂરો જ કરવાનો છે તો પછી પ્રેમથી પૂરો કરીએ.


જિંદગીમાં કંઈ જ પરમેનન્ટ નથી. અરે, જિંદગી ખુદ ક્યાં પરમેનન્ટ છે? જે છે એ આજ છે, જે છે એ અત્યારે જ છે. અત્યારે જે છે એ જ જિંદગી છે. તમને જિંદગીથી પ્રેમ છે? તો આ ક્ષણ જીવી જાણો. નક્કી કરો કે હું મારી જિંદગી ભવ્યતાથી જીવીશ. કુદરતે આ જિંદગી દુઃખી થવા માટે નથી આપી, તેણે તો જીવવા માટે આપી છે. નવા વર્ષનો પ્રારંભ એવા સંકલ્પથી કરો કે જિંદગીની કોઈ ક્ષણ હું વેડફીશ નહીં, હું દરેક ક્ષણ જીવીશ, કારણ કે જિંદગી જીવવા માટે છે, કારણ કે જિંદગી ખૂબસૂરત છે. જિંદગી તમારી રાહ જુએ છે, તમે એને ગળે વળગાડી લો. જિંદગીને ખૂબ પ્રેમ કરો... માત્ર નવા વર્ષની જ નહીં, પૂરેપૂરી આખેઆખી, સંપૂર્ણ અને સુંદર જિંદગીની શુભકામના.


છેલ્લો સીન
Life is too short to waste time in hating anyone.

 ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ (1/1/2012)

સોમવાર, 2 જાન્યુઆરી, 2012

‘સાથીયા’નો સંદેશોઃ લવસ્ટોરીમાં લગ્નનું પ્રકરણ છેલ્લું કે પહેલું?




                                                                                                                                                                           પ્રેમકથાઓ લખાય છે. ખૂબ વંચાય છે. રોમેન્ટિક ફિલ્મો બને છે. એ પણ ખૂબ જોવાય છે. પ્રેમની કહાણીઓ પરીકથા જેવી હોય છે. લવસ્ટોરી કિતાબમાં હોય કે કેમેરામાં- એ જો સુખાંત હોય તો એનો અંત બે પ્રેમી પંખીડાઓના લગ્ન સાથે આવે છે. શરણાઈઓ ટહૂકે છે, ઢોલ ઢબૂકે છે. મિયાં-બીબી જગતકાજીઓને રાજી કરી હાથમાં હાથ નાખીને ફેમિલી ફોટોમાં મહેકે છે. જો એન્ડ સેડ હોય તો વિરહની વેદનામાં કે મિલનના મૃગજળ પાછળ બે પ્રેમીજનો જીવવા-મરવાના ઝાઝેરા જુહાર કરી, લગ્નને ભૂલી મોતમાં મગ્ન થઈ જાય છે.
            ઈન એની કેસ, મોટા ભાગના પ્રેમસંબંધનું અંતિમ લક્ષ્ય છેઃ લગ્ન! જો પ્રેમમાં પડયા પછી લગ્ન થઈ ગયા તો સારુ. ન થયા તો ખરાબ. જો લગ્ન થઈ જાય તો મિલ્સ એન્ડ બૂનની પ્રેમકથાઓની સ્ટાઈલમાં ‘એન્ડ ધે લિવ હેપીલી એવર આફટર…’ લખાઈ જાય છે. પછી સમાજને એ પ્રેમી યુગલમાંથી રસ ઓછો થઈ જાય છે. લગ્ન ન થાય તો ‘અફસાના’ને મંઝિલ ન મળી એવું માની કોઈ નિરાશ પ્રેમી હાર્ટના થાઉઝન્ડ થાઉઝન્ડ પીસીઝ કલેકટ કરતો કરૂણ ગીતો ગાય છે. કોઈ વળી દિલ તૂટયાના બદલામાં રૌદ્રરસમાં આવી, હાથમાં છરી લઈ બેવફા કે મજબૂર પ્રિયજનનું સાચ્ચેસાચું દિલ જ કસાઈની ક્રૂરતાથી ચીરી કાઢે છે.
પ્રેમમાં સાથે મરી જવું કે મારી નાખવું બહુ સહેલું છે. અઘરું છે સાથે જીવવાનું.
       કદી વિચાર્યું છે કે ‘ખાઘું, પીઘું અને રાજ કર્યું’ વાળા વાસ્તવિક કે કાલ્પનિક કિસ્સાઓમાં ખાધા, પીધા અને રાજ (કે તારાજ!) કર્યા પછી શું થતું હશે? હીર-રાંઝાએ જીવતા રહીને લગ્ન કર્યા હોત, તો હીર દળણું લઈને ચક્કીએ જતી હોત? રાંઝા ત્રણ દિવસે આવતા નળમાંથી પાણીની ડોલ ભરતો હોત? રોમિયો- જુલિયેટની આડે વડિલો ન આવ્યા હોત, તો જુલિયેટ ટયુશન કરતી હશે? રોમિયો કાળા ચામડાની બેગ લઈને સેલ્સમેનશિપ કરવા નગરી નગરી દ્વારે દ્વારે બસયાત્રા કરતો હશે? શીરીં- ફરહાદનો સંસાર વસ્યો હોત, તો શીરીં ઈડલીનો આથો નાખતી હશે? ફરહાદ ટેલિફોનનું બિલ ભરવા લાઈનમાં ઉભો હશે? લૈલા-મજનૂ જન્નતને બદલે આ જહાનમાં જ સાથે જીવ્યા હોત તો લૈલાએ કછાટો વાળીને સાવરણીથી કરોળિયાના જાળા પાડયા હોત? મજનૂ શિક્ષકની નોકરી કરવા માટે ટ્રસ્ટીઓને લાંચ આપવા લાગવગની ચિઠ્ઠી લઈને ફરતો હોત?
             આવા વિચારો કદાચ ભારતભરના સર્વશ્રેષ્ઠ ફિલ્મસર્જક મણિરત્નમને આવ્યા, અને એમણે ટેલેન્ટડ એકટર માધવનને લઈને એક તામિલ ફિલ્મ બનાવી કાઢી. નામઃ ‘અલાઈ પાયુથે.’ આ સુપરહિટ ફિલ્મને હિન્દીમાં ઉતારવા માટે મણિભાઈએ પોતાના પટ્ટશિષ્ય એવા નવજુવાન શાદ અલીને છૂટ્ટો દોર આપ્યો. આ લખનાર કરતાંય નાના એવા ૨૬ વર્ષના દૂધમલિયા જવાન શાદ અલીએ પ્રેમકથાઓના પિતામહ યશ ચોપરા પાસે ફાઈનાન્સ માંગ્યું. અને સ્કૂલટાઈમ ફ્રેન્ડસ વિવેક ઓબેરોય તથા રાણી મુખરજીને લઈને શરૂ કરી ફિલ્મ સાથિયા.
              ખુદ મણિરત્નમની જ ઓરિજીનલ કથા અને નવોદિત લેખક માટે ટેકસ્ટબૂક ગણાય એવી અફલાતૂન પટકથા તૈયાર હતી. એને નવા રંગરોગાન પણ વળી ગુલઝાર જેવા જીનિયસે કર્યા છે! એમાં રહેમાનનું સંગીત ભળ્યું છે. સડકછાપ ‘કાંટે’ કરતા એ એટલે જ સારી છે. ‘દિલસે’માં મણિભાઈના ચીફ આસિસ્ટન્ટ રહી ચૂકેલા શાદકુમારે ગુરૂજીની ક્રાફ્‌ટ ફ્રેમ ટુ ફ્રેમ અપનાવી જાણી છે.
કમ બેક ટુ સાથીયા ટ્રેક. તો વાત એ , ચાલતી હતી કે લગ્ન યુવક-યુવતીની પ્રેમકહાણીનું અંતિમ પગથિયું છે? ટોચનું શિખર છે? કે પછી લગ્નથી આખી વાતના અંતને બદલે નવી કથાની શરૂઆત થાય છે? એક નવી પર્વતમાળાનું આરોહણ થાય છે? અગાઉ બાસુ ચેટરજી કે જે ઓમપ્રકાશ જેવા નિર્દેશકોએ આ સવાલો ઉઠાવતી ફિલ્મો બનાવી છે. આ સાથીયાની વાત જ ઓર છે.
              કારણ કે, સાથીયાની રજૂઆત ઘરેડ બહારની છે. તરોતાજા છે. એમાં આજના મઘ્યમવર્ગીય કપલની જીંદગી પર ફોકસ છે. બોલકા સંવાદોને બદલે એમાં દરેક દ્રશ્ય બોલે છે! કશી ભાષણબાજી વિના હળવેથી કશું કહ્યા વગર જ બઘું કહી દેવાયું છે. માટે જ સીધા ઉપદેશથી ટેવાયેલા ઓડિયન્સને આ ધીમી ગતિનું ઝીણવટભર્યુ નકશીકામ હજમ થતું નથી!
એવી શું વાત છે ફિલ્મમાં? કશું નવું નથી. એ જ કે જે રોજ આજુબાજુ બને છે. અપર મિડલ ક્લાસનો યુવક લોઅર મિડલ ક્લાસની કોલેજીયન યુવતીને મળે છે. સાહજીક આકર્ષણ પ્રેમમાં પલટાય છે. જાતભાતના આકાશી વાયદાઓ અને કસમોનો દૌર ચાલે છે. અંતે યુવતીને પણ પોતાનું ખેંચાણ સમજાતા પ્રેમની કબૂલાત થાય છે. વઘુ પડતા તર્કથી એ પ્રેમને મૂલવવા બેસે ત્યારે મોટી બહેન સિમ્પલ સોલ્યુશન આપે છેઃ ‘પસંદ છે? જો હા, તો ઝાઝું વિચાર નહિ. પરણી જા. પ્રેમ હશે તો પ્રોબ્લેમ્સ આવશે, ત્યારે ઉકલશે. પ્રેમ નહિ હોય તો નહિ હોય ત્યાંથી પ્રોબ્લેમ્સ ઉભા થશે!’
              મા-બાપનો વિરોધ છે. ભાગીને- છૂપાઈને લગ્ન થાય છે. હવે જવાબદારીમાંથી છટકવાનું શક્ય નથી. આ કંઈ એકતા કપૂરની ટી.વી. સિરિયલ્સ નથી કે લગ્ન થાય એટલે બાવીસ વારની રેશમી સાડી અને બે કિલોના ઘરેણા ઠઠારી મહેલોમાં મહાલવાનું હોય! આ તો જીંદગી છે. એમાં નાનકડું ભાડાનું મકાન અને તાણીતૂસીને વસાવેલી ઘરવખરી છે. જીવવા માટે રૂપિયા કમાવા પડે છે. રૂપિયા કમાવા માટે કામ કરવું પડે છે. એકબીજાની દરકાર લેતા લેતા પોતાનો સંઘર્ષ કરવો પડે છે.
લાઈફ ઈઝ નોટ ઈઝી. જીવન જરાય સરળ નથી. જીવનમાં કશું કાયમી નથી. પ્રેમ પણ નહિ. જે અનુભવો મળે, એ કુદરતી લાગણીઓનું ઘડતર કરે છે. આ લાગણીઓની આધારે દોરવાઇને એવા નિર્ણયો લેવામાં આવતા હોય છે કે, જેનાથી જીંદગીની દિશા બદલાઇ જતી હોય!
              આજકાલ સેલિબ્રિટી કપલ્સના છૂટાછેડાની વાતો વાંચીને જાત જાતના તારણો નીકળવા લાગ્યા છે. કોણ જાણે કેમ – ઉપરથી પવિત્ર દેખાવાનો દાવો કરનાર ભારતીય સમાજ અંદરથી એટલો વાસનામય છે કે કોઇ કહે કે ન કહે એ પહેલા જ દરેક છૂટાછેડા પાછળ જવાબદાર સ્ત્રી કે પુરૂષના ‘આડા સંબંધો’ને અપરાધીના પાંજરામાં ઉભી કરી દેવાય છે. ડાઇવોર્સ લેવાય ત્યારે (ગેર) જવાબદાર એવી સ્ત્રી કે પુરૂષનું લફરૂં હોય જ, અને એ જ કારણભૂત હોય – એમ સ્વીકારીને જ ડાઈવોર્સ પર ટીકા ટિપ્પણ થાય છે! કોઇ આ સિવાયના પાસા પર વિચારવા કે એ સ્વીકારવા તૈયાર નથી થતું. રમૂજમાં કહેવાય છેઃ ‘છૂટાછેડા પાછળનું સૌથી મહત્વનું કારણ છે લગ્ન!’ અહીં સચ્ચાઇ પણ છે. આડા ઉભા સીધાત્રાંસા સંબંધો સિવાય પણ સહજીવન ખુદ જયારે કાયમી બને ત્યારે અવનવી સમસ્યા ઉભી કરે છે.
           આવું એરેન્જડ મેરેજમાં પણ થાય છે. પણ લવ મેરેજમાં એની તીવ્રતા વઘુ હોય છે. મા – બાપે ગોઠવેલા લગ્નોમાં સમાજની સાક્ષી અને મંજૂરીનો છૂપો ભાર દંપતીને પરાણે પણ સમાધાન તરફ ખેંચે છે. પ્રેમલગ્નો તો સમાજ – કુટુંબ સામે ક્રાંતિ કરીને થયા હોઇ, બન્ને પાત્રો રંગમંચ પર મોટેભાગે એકલા રહી જાય છે. પ્રેમમાં હોઇએ ત્યારે પોતપોતાને ઘેરથી સજીધજીને પાર્કમાં કે થિયેટરમાં મળવાનું હોય છે. ખોળામાં માથું અને વાળમાં આંગળીઓ પરોવી સપના જોવાના હોય છે.
લગ્ન પછી ‘પેકેજીંગ’ નીકળી જાય ! હવે ન્હાયા, તૈયાર થયા વિનાનું પ્રિયજનનું બદન પણ સામે આવે છે. પહેલા પણ ગુસ્સો આવતો, પીડા થતી. એ ખાનગીમાં થતી. એકલા થતી. ઘરની વાતો ઘેર દાટીને પલાયન કરવા પ્રિયજનો સાથે પ્રેમાલાપ કે ‘ફોનાલાપ’ કે ‘ચેટાલાપ’ હતો. જાણે બધા દુઃખોનું સોલ્યુશન પ્રેમી સાથે જીવવામાં હોય એમ ‘ચલો ઇસ દુનિયા સે દૂર આપના ઘર બસાયે’નું ખ્વાબ આવતું.
              મૃત્યુ સિવાય આ દુનિયાથી દૂર કોઇ સ્વર્ગીય ટાપુ નથી. જે છે એ આ જીંદગી છે. લગ્ન પછી તમારી અંગત નબળાઇઓ પણ તમારા લાઇફ પાર્ટનર સાથે શેર કરવી પડે છે. એન્ડ વાઇસે વર્સા. અત્યાર સુધી કેવળ પ્લસ પેઇન્ટસ જ હાઇલાઇટ થયા હતા. હવે માઇનસ પોઇન્ટસ ઉજાગર થવા લાગે છે. એ અણધાર્યુ છે. અપેક્ષાભંગ કરનારૂં છે. ઐશ્વર્યા રાયની બ્યુટી પત્ની તરીકે મળી હોય, તો ઐશ્ચર્યા પણ ઉલિયું કરવાની છે. સવારે એના મોઢામાં પણ થૂંક ઉભરાઇ શકે છે. હ્રીતિક રોશનની પર્સનાલિટી પતિ તરીકે મળી હોય, તો હ્રીતિકને પણ ગંધાતી ઉલટી થઇ જાય છે. એને પણ પેટમાં ગેસ થતાં વાછૂટ થાય છે. ધેટસ રિયાલિટી!
બ્યુટી અને પર્સનાલિટી ખૂબ ખૂબ ગમતી વાત છે. અને એને ઘણું ઘણું મહત્વ અપાવું જ જોઇએ. પણ ૨૪ કલાકો અને ૩૬૫ દિવસો કાઢવા માટે આટલું જ પૂરતું નથી. સતત સહવાસ અને સારા – નરસા પાસાના પરિચય પછી પતિ – પત્ની હંમેશા મિત્રો – સંબંધીઓ – ઓફિસથી ભાગી શકે છે, પણ એકબીજાથી નહિ! સેકસલાઇફ પણ રૂટિન બને છે. બન્નેને એકબીજાની આદત પડતી જાય છે બંને એકબીજાને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લેતા જાય છે.
             ભારે નજાકતથી સાથીયામાં આ પાસું ઉઘાડાયું છે. અગાઉ પ્રેયસીનો ચહેરો જોઈને એનો મૂડ પારખનાર પતિ હવે ઘેર આવીને પત્નીનો દિવસ કેવો ગયો હશે, એનો અંદાજ પણ લગાવી શકતો નથી! કલાકો સુધી પ્રેમીની રાહ જોનારી અભિસારિકા પત્ની થયા બાદ દસ મિનિટ મોડું થતા અકળાઈ ઉઠે છે.
આકાશના તારાઓ તોડવાની વાયદાઓથી રસ્તામાં કાંટાઓ પણ વીણાતા નથી! ખબર પણ ન પડે એમ અંતર વધતું જાય છે. એમાંય આર્થિક – કૌટુંબિક ટેન્શન હોય તો પછી નિદાફાઝલી કહે છે તેમ :

કચ્ચે બખિયે કી તરહ રિશ્તે ઉઘડ જાતે હૈ
લોગ મિલતે હૈ મગર મિલ કે બિછડ જાતે હૈ
યૂં હુઆ, દૂરિયાં કમ કરને ગે થે દોનોં
મગર રોજ ચલને સે ભી તો રસ્તે ઉખડ જાતે હૈ
છાંવ મેં રખ કે હી પૂજા કરો યહ મોમ કે બૂત
ઘૂપમેં અચ્છે ભલે નકશે બિગડ જાતે હૈ!

           સંજોગોની ગરમીમાં રૂપાળી રંગીન મીણબત્તીઓ ઓગળવા લાગે છે. પછી હળવી મજાકમાંથી હળવી નફરત આવે છે. ઈર્ષા અને સંદેહનો દૌર ચાલુ થાય છે. એકબીજાને સમજવાને બદલે પોતાનો કક્કો ખરો કરવાની જીદ આવે છે. અને પોતાના જીવનની દરેક બાબત માટે અંતે જીવનસાથી એકબીજાને દોષ દેવા લાગે છે. વાંક કાઢે છે.
            સાથીયાના યુવાસાથીઓ સાથે આમ જ બને છે. પણ હજુ સાવ ભંગાણના મુદો આવે એ પહેલા એક ઘટના બને છે. એક સાથી હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાય, ત્યારે બીજા તડપે એ કલાઈમેકસ ઘણાને ચવાયેલો લાગશે. કેટલાક પિત્તળભેજાઓને એમાં શાહરૂખ – તબૂની હાજરીનું રહસ્ય પણ નહિ સમજાય! પણ લેખક – દિગ્દર્શક ભારે અસરકારકતાથી સામાન્ય દ્રશ્યોમાં અસામાન્ય સલાહ આપી દે છે.
નાયિકા રાણીને તબૂથી એકિસડન્ટ થાય છે, ત્યારે તબૂનો પતિ શાહરૂખ ગભરાયેલ પત્નીને આશ્વાસન આપે છે. એની પડખે ઉભો રહે છે. એણે કરેલા એકિસડેન્ટનું આળ પોતાના માથે લઈને રાણીની સારવારની તજવીજ કરે છે. ત્રસ્ત પતિ વિવેકને રાણી ગુમાવ્યા બાદ મૂઈ ભેંસના મોટા ડોળાની જેમ એનો ખાલીપો વર્તાય છે. બંનેને પોતાનો હરખ વહેંચવા માટે એક સાથીની અઘૂરપ હતી, માટે તો રાણી – વિવેક એકબીજાને મળવા ખુશ થઈ ભાન ભૂલી દોડયા હતાં.
          આપણું સ્વજન મરણપથારીએ પડે પછી જ અચાનક આપણને આંચકો લાગે કે, ‘આહાહા, આ વ્યકિતને તો હું કદી ગણકારતો જ નહિ, પણ આ વ્યકિતએ તો મારા માટે કેવું અણમોલ કામ કરેલું!’ અને ઉપેક્ષાની રાખ નીચે, કારકિર્દીની ભૂખ નીચે, આકાંક્ષાઓની પાંખ નીચે ઢબૂરાયેલો પ્રેમનો તણખો પ્રજ્જવલિત થઈ તમને ખુદને ઓળખવા માટેની રોશની આપે છે.
‘સાથીયા’માં કોઈ સંવાદો માત્ર શાહરૂખને ઉકળાટ વિના પત્નીની કાળજીભરી સંભાળ લેતો જોઈને વિવેકને ‘લગ્નપ્રેમ’નું ઝળહળતું સત્ય સાંપડે છે : ‘‘એકબીજાને દોષ દેવા નહિ, પણ એકબીજાની ભૂલો કે દોષ પણ પોતાના માથે ઓઢી લેવા એનું નામ સહજીવન છે! – સામાનો દોષ દલીલોથી સાચો સાબિત કરવાને બદલે, સહજતાથી એને સ્વીકારવા – માફ કરવા અને જરૂર પડે વિના પ્રયત્ને એ પોતાના પર લઈ લેવાની જે તીવ્ર સંવેદના છે – એનું નામ પ્રેમ છે.’’
             માટે જ પ્રિય વાચકો, ‘સાથીયા’ એક યાત્રા છે. આકર્ષણથી પરિપકવતા સુધીની કુદરતી વિકાસની માનવયાત્રા ! જેમા યુગલ વિચારે છે કે આપણે પ્રેમમાં છીએ’ વાળા પ્રારંભિક તબક્કાથી શરૂ કરી, ‘યુગલ શોધી કાઢે છે કે પ્રેમનો સાચો મતલબ શું છે’ વાળુ ગિરિશિખર આવે છે. જીવન ‘અનપ્રેડિકટેબલ’ છે, અને લગ્ન પણ એમાં છાપરે ચડીને કશાની ઘોષણા ન થાય છાતી ઠોકીને કશી આગાહી ન થાય.
આવો લેખ લખ્યા કે ફિલ્મ બનાવ્યા પછી પણ લગ્ન અને જીવનના એકસપર્ટ થઈ ગયા છીએ, એવા ભ્રમમાં ન રહેવાય….! પણ એટલુ જરૂર યાદ રખાય કે નર – નારીના યુગ્મને કોણ એકબીજા સાથે જોડી રાખે છે? ઘેરથી ભાગવાનો રોમાંચ ? કાયદો ? ધાર્મિક રીતરિવાજ ? સંસ્કાર ? લગ્નનો દસ્તાવેજ ? કાર્ડસ ? ગિફટસ ? ફૂલોના બૂકે?
જવાબ છે : પ્રેમ!

ફાસ્ટ ફોરવર્ડ
લગ્ન કરવાના ઉદેશ માટે સુંદર શરીર જોઈએ, અને ટકાવવાના આદેશ માટે સુંદર મન!

  - જય વસાવડા (સ્પેકટ્રોમીટર  5/1/2003)

રવિવાર, 1 જાન્યુઆરી, 2012

જીવન એ ઈશ્વરનું ઉપનામ છે..

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
કેવો તું અકસ્માતથી સર્જાય છે ઈશ્વર.

હેઠા મૂકાશે હાથ ને ભેગા થશે પછી જ,
કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.

રહેવાને આવ્યો જ્યારથી હું એના ઘર નજીક,
રસ્તામાં ઘણી વાર મળી જાય છે ઈશ્વર.

દૂર પેલી વસ્તીમાં ભૂખ્યાં છે ભૂલકાં,
લાગે છે તને દૂરનાં ચશ્માંય છે ઈશ્વર.

કે’છે તું પેલા મંદિરે છે હાજરાહજૂર,
તું પણ શું ચકાચૌંધથી અંજાય છે ઈશ્વર.

થોડા જગતનાં આંસુઓ, થોડા મરીઝના શેર,
લાવ્યો છું જુદી પ્રાર્થના સંભળાય છે ઈશ્વર ?

એનામાં હુંય માનતો થઈ જાઉં છું ત્યારે,
મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર.

- સૌમ્ય જોશી

          દુઃખમાં જ ઈશ્વરને યાદ કરવાની આપણે ત્યાં પરંપરા છે. દુઃખની ઠોકર વાગે ત્યારે અકસ્માતથી યાદ આવે છે ઈશ્વર. ઈશ્વરને કારણ વગર યાદ કરવાનું ક્યારેય બન્યું છે ખરું ? એવું બનશે ત્યારે ઈશ્વર અકસ્માતે યાદ નહીં આવે અને જીવન અસ્કયામત બની જશે.
જ્યાં મન થાકી જાય, હાથ હેઠા મૂકાઈ જાય અને છેલ્લા શ્વાસે નવું જીવન મળી જાય ત્યારે ઈશ્વર કોશિશ પછીની સાજીશમાં જીવતો હોય છે. બધી જ બારીઓ બંધ થયા પછી એક બારણું ખૂલે છે. માત્ર ધીરજ એના પગથિયાનો શણગાર છે.
          મંદિર ઘરની નજીક હોય એવું બને ! અને મંદિરમાં ઈશ્વર હોય જ એવું ન પણ બને ! આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણે બાધા-આખડીની ધરપત આપીને ફોસલાવીએ છીએ. ક્યારેક મંદિર તરફ જતી વખતે અમથું અમથું વહાલ કરવાનું મન થાય એવી વનસ્પતિથી લઇને વ્યક્તિઓ સુધીમાં મળી જાય છે ઈશ્વર. પછી મંદિરે જવું એ વિધી થઇ જાય છે અને મંદિર જેવી અવસ્થાને મળ્યાનો આનંદ ઈશ્વર સુધિ પહોંચતો હોય છે.
           ઈશ્વર એનું ધાર્યું કરે છે અને આપણી પીડા એને વધારે પડતી છાવરે છે. દૂરની વસ્તીમાં ભૂખ્યા ભુલકાંને જોઈને એને કશું જ નથી થતું ? ઈશ્વરને દૂરના ચશ્માં હોય એવું લાગે છે. નજીક છે એ કેટલાં દૂર છે એની એને ખબર છે. પણ જેને ઈશ્વરે જ વ્યસ્ત રાખ્યાં છે એ એનાથી દૂર કઇ રીતે હોઇ શકે ?
હાજરાહજૂર માણસોને ભૂલી જઈને ચકાંચૌધ કરી નાંખનારાં મંદિરોને આપણે પૂજીએ છીએ. મંદિરોમાં પણ ભગવાનના પ્રચારના બોર્ડ હોય છે. ભગવાનને પણ આપણે આપણી શ્રઘ્ધા સાથે ચેડાં કરીને દુકાનનો ભાગ બનાવી દીધાં છે. ઈશ્વર એનાથી અંજાઈ જાય એવું કેવી રીતે બને ?
જગતના આંસુઓ લૂછવાની ત્રેવડ જેમની પાસે છે એ બધાનાં ટેરવાંઓ ઈશ્વરનાં જ છે. થોડાંક મરીઝના શેર. ‘મરીઝ’ ગુજરાતી ભાષાના ગાલિબ તરીકે ઓળખાતા કવિ છે. જીવનની પ્રત્યેક ક્ષણને એમણે ગઝલમાં મઠારીને સ્વીકારી છે. ક્યારેક આવા મુઠ્ઠી ઊંચેરા કવિની કવિતાઓ વાંચીને ઈશ્વરની સામે બોલીએ તો એ પ્રાર્થના ન બની જાય ? રાજેન્દ્ર શુકલ કહે છે કે હું ગાંધીજીને મળ્યો હોત તો એમની પ્રાર્થના પોથીમાં ગઝલોનો ઉમેરો કરાવત !
           ઈશ્વરને આપણા ઉપર વિશ્વાસ મૂકવાની આદત છે. એટલે તો આપણને જનમ આપે છે. ઈશ્વર આપણા પ્રેમમાં છે એટલે તો આપણા બધા જ ગુના માફ કરે છે. આપણે પણ એનામાં એટલી જ સહજતાથી ગૂંથાઇ જવાનું છે જેટલી સહજતાથી એ આપણામાં ધૂંટાઈ ગયો છે.
           આપણી ભૂલોને માફ કરવાવાળો ઉપરવાળો છે. એની સાથે સૌમ્ય જોશીએ ગઝલમાં કરી છે એવી વાતો નિખાલસતાથી કરવાનો દરેકને અધિકાર છે. ઈશ્વર તરફ આંગળી કરીને માણસમાં રહેલા ઈશ્વરને જીવવાનો- જીવાડવાનો અને ઉપસાવવાનો કવિ પ્રયત્ન કરે છે. બઘું જ ઈશ્વર પર છોડી દઈએ છીએ ત્યારે ઈશ્વરને પણ નસીબ પર છોડીને આપણી આવડતમાં આત્મવિશ્વાસ મૂકવો જોઈએ. જીવનના હકારની આ કવિતા એવા સંવાદમાંથી પ્રગટે છે જ્યાં નિરાધાર અને નિરાકાર એક થઇને એકબીજાને પ્રશ્નો પૂછતાં પૂછતાં પ્રતિ પ્રશ્નોમાંથી જવાબો શોધી કાઢે છે. જીવન એ ઈશ્વરનું ઉપનામ છે.

 -  અંકિત ત્રિવેદી