લેબલ મહંમદ પયગંબરસાહેબ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ મહંમદ પયગંબરસાહેબ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 9 માર્ચ, 2011

મેનેજમેન્ટ ગુરૂ', મહંમદ પયગંબરસાહેબ ભાગ 3

એક વખત પયગબંર સાહેબ તેમના કેટલાક સાથીઓના કાફલા સાથે પસાર થઈ રહ્યાં હતા. જેના કારણે, કાફલાના મુસાફરો થાકી ગયા હતા. એક સ્થળ પર તેઓ ઊભા રહ્યાં. પયગંબર સાહેબે ઊંટ પરનો સામાન છોડી નાખ્યો.મુસાફરો બંદગી માટે પાણીની શોધમાં લાગી ગયા. ખુદ પયગંબર સાહેબ પણ પાણીની શોધમાં લાગી ગયા.


કોઈને કાંઈપણ કહ્યાં વગર પયગંબર સાહેબ તેમના ઊંટ પાસે ગયા, બધાને થયુંકે, ખુદ પયગંબર સાહેબે અહીં મુકામ કરવા માટે કહ્યું હતું ત્યારે હવે તેઓ અહીંથી કૂચ કરવા માટે આદેશ આપશે કે શું ? તેમણે ઊંટ તૈયાર કરીને પાણીની શોધમાં નિકળી પડ્યા. જ્યારે કાફલાને આ વાત સમજાઈ ત્યારે તેમણે પયગંબર સાહેબને કહ્યુંકે, અમે તમારા માટે એ કરી લીધું હોત.ત્યારે પયગંબર સાહેબે જવાબ આપ્યો, "તમારા કામોમાં ક્યારેય બીજાની ઉપર આધાર ન રાખો. દાતણના એક ટૂકડા માટે પણ બીજા પર આધાર ન રાખો."


બોધ


ગુજરાતીમાં કહેવાય છેકે, "પારકી આશા સદાય નિરાશા." જેનું સચોટ ઉદાહરણ પયગંબર સાહેબના જીવનનો આ કિસ્સો પૂરો પાડે છે.

શનિવાર, 5 માર્ચ, 2011

મેનેજમેન્ટ ગુરૂ', મહંમદ પયગંબરસાહેબ ભાગ ૨

બકરાની બલી

એક સમયે પયગંબર સાહેબ અને તેમના સાથીઓએ મુસાફરી પછી એક જગ્યાએ પડાવ નાખવાની તૈયારી કરી. ભોજન માટે બકરાની બલિ આપવાનું નક્કી થયું. તેમના એક સાથીએ કહ્યું કે, "હું બકરાને હલાલ કરીશ," બીજાએ કહ્યું, "હું તેની ખાલ દૂર કરીશ." ત્રીજાએ કહ્યું, "હું તેને પકાવીશ"....પયગંબર સાહેબ બોલ્યા, "હું રણપ્રદેશમાંથી લાકડાં લાવીશ."


ત્યારે સમૂહે ઉદ્દાગાર કર્યો, "પયગંબર સાહેબ, તમે તમારી જાતને કષ્ટ ન આપો. તમારું કામ અમે કરીશું." પયંગબર સાહેબે જવાબ વાળ્યો, "મને ખબર છેકે, તમે લોકો મારું કામ કરવા માટે આતુર છો. પરંતુ, જે વ્યક્તિ પોતાની અને સાથીઓની વચ્ચે ભેદ કરે અથવા તો પોતાને બીજાથી અલગ સમજે, તેનાથી અલ્લાહ ખુશ નથી થતા."પયગંબર સાહેબે રણમાંથી લાકડાં એકઠાં કર્યા અને સમુહ માટે ભોજન બન્યું.

મોરલ ઓફ ધ સ્ટોરી: તમારા નાના-મોટા બધા કામો કર્મચારી પર નાખી દેવાના બદલે ખુદ તમારું કામ કરો. તેમની સમક્ષ એક આદર્શ ઉદાહરણ બનીને રજૂ થાવ. "આચાર એ પ્રચારનું શ્રેષ્ઠ સાધન છે." તમે જે ન કરતા હો, કે કરી ન શકતા હો તે કામ કર્મચારી પાસે કરાવવું યોગ્ય નથી.પાણીની શોધ

ગુરુવાર, 3 માર્ચ, 2011

'મેનેજમેન્ટ ગુરૂ', મહંમદ પયગંબરસાહેબ ભાગ ૧

-તમામ ધર્મગુરૂઓ અને ધર્મગ્રંથોને નવી નજરથી જોવાની જરૂર

-મુસ્લિમ સમુદાયે જ નહીં, તમામ નાગરિકોએ પયગંબરસાહેબ પાસેથી શીખવાની જરૂર

ભેટ

જ્યારે કોઈ ખેડૂતનો ફાલ પાકતો ત્યારે તે પહેલા પયગંબર સાહેબને આપવા માટે લાવતો હતો. પયંગબર સાહેબ તેને ગ્રહણ કરતા અને પછી તેને આજુબાજુના લોકોમાં વહેંચી દેતા હતા.

એક વખત એક નાનકડી વાડીનો ગરીબ ખેડૂત માત્ર એક ફળ લઈને આવ્યો અને તેને પયગંબર સાહેબને આપ્યું. પછી તેમણે કહ્યુંકે, તે ફળ પૂરી રીતે પાક્યું ન હતું. જો, મેં તમને ખાવા આપ્યું હોત, તો કદાચ તમારામાંથી કોઈએ ચોક્કસપણે આ વાત કરી હોત. જેનાથી પેલો ખેડૂત નિરાશ થઈ જાત.

પયગંબર સાહેબે તેને ચાખ્યું અને પોતે જ ખાવા લાગ્યા. ત્યારે તેમના અનેક સાથીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમાંથી એકે પૂછી લીધું, "પયગબંર સાહેબ, તમે અન્ય કોઈને ભાગ ન આપ્યો."પયગંબર સાહેબે સ્મિત આપ્યું અને પેલો ગરીબ ખેડૂત ગયો નહીં, ત્યાર સુધી રાહ જોઈ.

મોરલ ઓફ ધ સ્ટોરી: કદી પણ તમારા સાથીની ભાવનાની ઉપેક્ષા ન કરો. જો, કોઈ કર્મચારીની લાગણીના કારણે, તમારે ઉપરી મેનેજમેન્ટના હળવા કડવા ઘૂંટ પીવા પડે તો પી લો. તમારા કર્મચારીનું જાહેરમાં અપમાન ન થાય, તેની ખાસ કાળજી રાખો.