બુધવાર, 23 ફેબ્રુઆરી, 2011

રોક સકો તો રોક લો

ઘણા મહાન બિઝનેસ એક્ઝિક્યુટિવ ‘સફળતા’ શબ્દનો ઉપયોગ એમને સફળતા મળી ગઇ છે એવો વિશ્વાસ નથી બેસતો ત્યાં સુધી કરે છે. તેઓ જાણે છે કે સફળતાના વિચારમાં સફળતાનાં બધાં અનિવાર્ય તત્વ સામેલ છે. આ જ રીતે તમે પણ ‘સફળતા’ શબ્દને પૂરેપૂરી આસ્થા અને વિશ્વાસ સાથે દોહરાવો. તમારું અજાગૃત મન એ સાચું માનવા લાગશે અને તમને ખરી સફળતા તરફ દોરશે. તમારા માટે સફળતાનો અર્થ શું છે?

મનોમન સફળતાની તસવીર જુઓ. એની આદત પાડો. રોજ રાત્રે સૂતાં પહેલાં પૂર્ણ સંતોષનો અહેસાસ કરો. આ રીતે તમારા અર્ધજાગૃત મનમાં તમે સફળતાનો વિચાર રોપી શકશો. ખાતરી રાખો કે તમે સફળ થવા માટે જન્મ્યા છો. તમારી અંદર એક પ્રબળ શક્તિ છે, જે તમારી બધી ઇચ્છાઓને સાકાર કરવામાં સક્ષમ છે. આ સભાનતા તમને આત્મવિશ્વાસ અને શાંતિનો અનુભવ કરાવશે.

સફળ વ્યક્તિ એ છે, જેણે ઊંડી મનોવૈજ્ઞાનિક અને આઘ્યાત્મિક સમજ કેળવી છે. આજના ઘણા સફળ બિઝનેસમેન સફળતા મેળવવા પોતાના અજાગૃત મનનો સાચો ઉપયોગ કરવા પર ભાર આપે છે. તેઓ પોતાના આગામી પ્રોજેક્ટને એવી રીતે જુએ છે જાણે એ પહેલેથી જ પૂરો થઇ ગયો હોય! એની સાકાર તસવીર જોઇને અને પ્રાર્થનાનું પરિણામ અનુભવીને એમનું અર્ધજાગૃત મન એ પ્રોજેક્ટ પૂરો કરી દે છે.

કોઇ પણ ઘ્યેયની સ્પષ્ટ કલ્પના કરી શકો, તો એ ચીજ ચોક્કસ તમને મળી શકે. આ ચીજ તમને અર્ધજાગ્રત મનની ચમત્કારી શક્તિ દ્વારા એવી રીતે મળી જશે જેના વિશે તમે કશું નથી જાણતા.

ત્રણ પગલાં

સફળતાનું સૌથી મહત્વનું અને પહેલું પગલું છે જે કાર્ય તમને ગમતું હોય એને શોધવાનું અને એ કરવાનું. એવું કાર્ય જેને તમે પ્રેમ કરતા હો. ભલેને આખી દુનિયા તમને સફળ માનતી હોય પણ તમે પોતે જો મનગમતું કામ નહીં કરતાં હો તો શક્ય છે કે તમે જાતને સફળ ન માનો. કામ ગમતું હોવાથી તે કરવાની તમને અદમ્ય ઇચ્છા થાય છે. કોઇ યુવતીને મનોચિકિત્સક બનવાની ઇચ્છા છે તો ડિપ્લોમા કરીને સર્ટિફિકેટ દીવાલ પર ટાંગી લેવાથી જ કામ નથી પતી જતું. એ ક્ષેત્રમાં આગળ આવવા માટે એ સેમિનારોમાં ભાગ લેશે અને મગજ તથા એની પ્રવૃતિઓનો અભ્યાસ કરતી રહેશે. એ પોતાનાં ક્ષેત્ર સંબંધિત વિવિધ સામયિક વાંચશે. બીજા શબ્દોમાં કહીએ તો એ સતત નવું નવું જ્ઞાન મેળવતી રહેશે. એનું કારણ છે કે એ દર્દીઓનું હિત તેના માટે સૌથી વધારે મહત્વનું છે.

શક્ય છે કે આ વાંચીને તમે વિચારમાં પડી જશો કે હું તો પહેલું પગલું નહીં ભરી શકું, કારણકે મને તો ખબર જ નથી કે હું શું કરવા ઇચ્છું છું. મને ખબર જ નથી કે મને કયું કામ ગમે છે, એવું કોઇ ક્ષેત્ર છે ખરું જેને હું પ્રેમ કરું છું?

તમારી સ્થિતિ આવી હોય તો આ રીતે પ્રાર્થના કરો: મારા અજાગૃત મનની અસીમિત બુદ્ધિમત્તા જીવનમાં મારી સાચી જગ્યાએ પ્રકટ થાઓ... આ પ્રાર્થનાને ધીમે ધીમે, પોઝિટિવ રીતે અને પ્રેમથી મન સમક્ષ દોહરાવતા રહો. તમે આસ્થા અને વિશ્વાસ રાખશો તો કોઈને કોઈ સ્વરૂપમાં તમને ચોક્કસ જવાબ મળશે.

સફળતાનું બીજું પગલું. કાર્યની કોઇ વિશિષ્ટ શાખા પર ઘ્યાન કેન્દ્રિત કરવું અને એમાં ઉત્કૃષ્ટ બનવાની ઇચ્છા રાખવી. માનો કે કોઇ વિદ્યાર્થી કેમેસ્ટ્રીને પોતાના વ્યવસાય તરીકે પસંદ કરે છે, તો પછી એણે પોતાનું પૂરેપૂરું ઘ્યાન એના પર કેન્દ્રિત કરવું જોઇએ અને પોતાનો બધો સમય તથા શક્તિ એણે પસંદ કરેલા ક્ષેત્ર પર જ કેન્દ્રિત કરવાં જોઇએ. જે-તે ક્ષત્રમાં એકસપર્ટ આ રીતે બનાય. ઉત્સાહને લીધે એ પોતાના ક્ષેત્રમાં વધુમાં વધુ જાણકારી મેળવવાની કોશિશ કરશે, બીજા કરતાં વધારે જાણવાની કોશિશ કરશે. જેમ તેમ આજીવિકા રળવી એવી વ્યક્તિના દ્રષ્ટિકોણ અને આ દ્રષ્ટિકોણમાં બહુ મોટો વિરોધાભાસ છે. ‘જેમતેમ આજીવિકા કમાઇ લેવી’ તે સાચો અભિગમ નથી. તમારાં લક્ષ્ય ઊંચાં, ઉદ્દાત અને પરોપકારી હોવાં જોઇએ.

ત્રીજું પગલું. તમારે એ ચોક્કસ નક્કી કરી લેવું જોઇએ કે તમારી સફળતા સ્વકેન્દ્રી ન રહી જાય. તમારી ઇચ્છા સ્વાર્થી ન હોવી જોઇએ. એનાથી સમાજને પણ લાભ થવો જોઇએ. સર્કિટ પૂરી થવી જોઇએ. તમે ફક્ત તમારા લાભ પૂરતું જ કામ કરો છો તો તમે આ સર્કિટ પૂરી નથી કરી રહ્યા. શક્ય છે કે દુન્યવી નજરે સફળ લાગતા હો, પણ જીવનમાં તમે જે શોર્ટ ક્ટ અપનાવ્યો છે એ આગળ જઇને તમને સીમિત કરી દેશે.

સાચી સફળતાનાં પગલાં

તમે કહેશો: એ માણસોનું શું જે ધોખાબાજી કરીને શેરબજારમાં લાખો રૂપિયા કમાયા છે? એના મનમાં તો સમાજ માટે કશુંક કરવાની સહેજ પણ ખેવના નથી.

આવા ઘણા લોકો છે આપણી આસપાસ. બની શકે કે કોઇ વ્યક્તિ થોડો સમય માટે સફળ થયેલી દેખાય, પણ છળકપટથી મેળવેલું ધન મોટે ભાગે સમય આવતાં સફાચટ થઇ જાય છે. વળી, આપણે કોઇ બીજાને લૂંટીએ ત્યારે ખુદને જ લૂંટતા હોઇએ છીએ. જે ઊણપ અને મર્યાદાથી આપણે વ્યવહાર કરીએ છે, તે કોઈને કોઈ રીતે આપણા સ્વભાવનો જ પરિચય આપે છે. આપણે જે વિચારીએ છીએ, જેમાં વિશ્વાસ કરીએ છીએ એ જ થાય છે.

માનસિક શાંતિ વગરની સફળતા શી કામની. એવી સંપત્તિનો શું ફાયદો. જેને લીધે માણસ રાત્રે શાંતિથી સૂઇ ન શકે અથવા અપરાધીભાવથી પીડાતો રહે? હું એક અપરાધીને મળ્યો હતો. એણે મને પોતાનાં કારનામાં સંભળાવ્યાં. એણે અઢળક સંપત્તિ ભેગી કરી હતી અને એશો-આરામથી રહેતો હતો. ઉનાળામાં રહેવા માટે હિલ સ્ટેશન પર પણ એક વૈભવી ઘર ખરીદી રાખ્યું હતું.

આ વૈભવ એને આરામ આપી શકતો નહીં. એને સતત ડર લાગતો કે ગમે તે સમયે પોલીસ આવશે અને એની ધરપકડ કરી લેશે. સતત ડર અને ગિલ્ટને લીધે એને ઘણી તકલીફ થતી હતી. એ જાણતો હતો કે એણે ખોટું કામ કર્યું છે. પાછળથી મેં સાંભળ્યું કે એણે ખુદને પોલીસને હવાલે કરી દીધો અને જેલની સજા કાપી. જેલમાંથી છૂટયા બાદ મનોચિકિત્સક સારવાર લીઘી, આઘ્યાત્મિકતા તરફ વળ્યો અને એના જીવનની કાયાપલટ થઇ ગઇ. એ નોકરી કરવા લાગ્યો અને કાયદાનું પાલન કરનારો પ્રામાણિક નાગરિક બની ગયો. હવે એણે જીવનમાં પહેલીવાર ખુશીનો અનુભવ કર્યો.

સફળતાના આ ત્રણ સિદ્ધાંતો વિશે વિચાર કરતી વખતે તમારે તમારા સુષુપ્ત મનની રચનાત્મક શક્તિઓને ક્યારેય ન ભૂલવી જોઇએ. વિચાર સાથે સાચી ભાવના ઉમેરાય તો તે આસ્થા કે વિશ્વાસ બની જાય છે.
...અને તમારી આસ્થાને અનુરૂપ ફળ તમને વહેલુંમોડું મળશે જ.

સફળતાની ટેક્નિક

ઘણા મહાન બિઝનેસ એક્ઝિક્યુટિવ ‘સફળતા’ શબ્દનો ઉપયોગ એમને સફળતા મળી ગઇ છે એવો વિશ્વાસ નથી બેસતો ત્યાં સુધી કરે છે. તેઓ જાણે છે કે સફળતાના વિચારમાં સફળતાનાં બધાં અનિવાર્ય તત્વ સામેલ છે. આ જ રીતે તમે પણ ‘સફળતા’ શબ્દને પૂરેપૂરી આસ્થા અને વિશ્વાસ સાથે દોહરાવો. તમારું અજાગૃત મન એ સાચું માનવા લાગશે અને તમને ખરી સફળતા તરફ દોરશે. તમારા માટે સફળતાનો અર્થ શું છે?

બેશક તમે તમારાં કૌટુંબિક જીવન અને બીજા સાથેના સંબંધોમાં સફળ બનવા ઇચ્છો છો. તમે તમારી પસંદગીનાં કામ કે વ્યવસાયમાં ઉત્કૃષ્ટ બનવા ઇચ્છો છો. તમે સુંદર ઘર અને સારી એવી સંપત્તિ ઇચ્છો છો કે જેથી તમે સુખચેનથી રહી શકો. જીવનને એક વ્યવસાય ગણો તો તમે એક બિઝનેસ એક્ઝિક્યુટિવ છો. તમે જે કરવા ઇચ્છો છો અને જે વસ્તુના માલિક બનવા માગો છો, એની કલ્પના કરી સફળ એક્ઝિક્યુટિવ બનો. કલ્પનાશીલ બનો.

મનોમન સફળતાની તસવીર જુઓ. એની આદત પાડો. રોજ રાત્રે સૂતાં પહેલાં પૂર્ણ સંતોષનો અહેસાસ કરો. આ રીતે તમારા અર્ધજાગૃત મનમાં તમે સફળતાનો વિચાર રોપી શકશો. ખાતરી રાખો કે તમે સફળ થવા માટે જન્મ્યા છો. તમારી અંદર એક પ્રબળ શક્તિ છે, જે તમારી બધી ઇચ્છાઓને સાકાર કરવામાં સક્ષમ છે. આ સભાનતા તમને આત્મવિશ્વાસ અને શાંતિનો અનુભવ કરાવશે.

યાદ રાખો, ધરતી કે આકાશમાં કોઇ એવી શક્તિ નથી જે તમને સફળતા સુધી પહોંચવામાં રોકી શકે. (ડો. મર્ફી ‘ધ પાવર ઓફ યોર સબકોન્સિયસ માઇન્ડ’ પુસ્તકના લેખક છે)

કેટલાક નિયમ

- સફળતાના વિચારમાં સફળતાનાં બધાં તત્વ સામેલ છે. સફળતા શબ્દ પૂર્ણ વિશ્વાસ સાથે દોહરાવો. આ રીત અર્ધજાગૃત મન તમારા પર સફળ થવા માટે દબાણ લાવશે.
- તમે શાંત, સુખી અને ખુશ હો અને તમારું પ્રિય કામ કરી રહ્યા હો તો તમે સફળ છો.
- તમે ખાસ ક્ષેત્રમાં વિશેષજ્ઞ બનો અને એના વિશે કોઇ બીજી વ્યક્તિ પાસેથી વધુ જાણવાની કોશિશ કરો.
- સફળ વ્યક્તિ સ્વાર્થી નથી હોતી. જીવનમાં તેઓ ચોક્કસપણે બીજા માનવીઓની સેવા કરવા માગે છે.
- તમે કોઇ ઉદ્દેશની નક્કર કલ્પના કરો. તમારા અર્ધજાગૃત મનની ચમત્કારિક શક્તિ તમને બધી આવશ્યક વસ્તુઓ મેળવી આપશે.

સાફલ્ય, ડો. જોસેફ મર્ફી
આહ જીદગી ૦૬/૦૨/૨૦૧૧

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો