બુધવાર, 9 માર્ચ, 2011

મેનેજમેન્ટ ગુરૂ', મહંમદ પયગંબરસાહેબ ભાગ 3

એક વખત પયગબંર સાહેબ તેમના કેટલાક સાથીઓના કાફલા સાથે પસાર થઈ રહ્યાં હતા. જેના કારણે, કાફલાના મુસાફરો થાકી ગયા હતા. એક સ્થળ પર તેઓ ઊભા રહ્યાં. પયગંબર સાહેબે ઊંટ પરનો સામાન છોડી નાખ્યો.મુસાફરો બંદગી માટે પાણીની શોધમાં લાગી ગયા. ખુદ પયગંબર સાહેબ પણ પાણીની શોધમાં લાગી ગયા.


કોઈને કાંઈપણ કહ્યાં વગર પયગંબર સાહેબ તેમના ઊંટ પાસે ગયા, બધાને થયુંકે, ખુદ પયગંબર સાહેબે અહીં મુકામ કરવા માટે કહ્યું હતું ત્યારે હવે તેઓ અહીંથી કૂચ કરવા માટે આદેશ આપશે કે શું ? તેમણે ઊંટ તૈયાર કરીને પાણીની શોધમાં નિકળી પડ્યા. જ્યારે કાફલાને આ વાત સમજાઈ ત્યારે તેમણે પયગંબર સાહેબને કહ્યુંકે, અમે તમારા માટે એ કરી લીધું હોત.ત્યારે પયગંબર સાહેબે જવાબ આપ્યો, "તમારા કામોમાં ક્યારેય બીજાની ઉપર આધાર ન રાખો. દાતણના એક ટૂકડા માટે પણ બીજા પર આધાર ન રાખો."


બોધ


ગુજરાતીમાં કહેવાય છેકે, "પારકી આશા સદાય નિરાશા." જેનું સચોટ ઉદાહરણ પયગંબર સાહેબના જીવનનો આ કિસ્સો પૂરો પાડે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો