ગુરુવાર, 3 માર્ચ, 2011

'મેનેજમેન્ટ ગુરૂ', મહંમદ પયગંબરસાહેબ ભાગ ૧

-તમામ ધર્મગુરૂઓ અને ધર્મગ્રંથોને નવી નજરથી જોવાની જરૂર

-મુસ્લિમ સમુદાયે જ નહીં, તમામ નાગરિકોએ પયગંબરસાહેબ પાસેથી શીખવાની જરૂર

ભેટ

જ્યારે કોઈ ખેડૂતનો ફાલ પાકતો ત્યારે તે પહેલા પયગંબર સાહેબને આપવા માટે લાવતો હતો. પયંગબર સાહેબ તેને ગ્રહણ કરતા અને પછી તેને આજુબાજુના લોકોમાં વહેંચી દેતા હતા.

એક વખત એક નાનકડી વાડીનો ગરીબ ખેડૂત માત્ર એક ફળ લઈને આવ્યો અને તેને પયગંબર સાહેબને આપ્યું. પછી તેમણે કહ્યુંકે, તે ફળ પૂરી રીતે પાક્યું ન હતું. જો, મેં તમને ખાવા આપ્યું હોત, તો કદાચ તમારામાંથી કોઈએ ચોક્કસપણે આ વાત કરી હોત. જેનાથી પેલો ખેડૂત નિરાશ થઈ જાત.

પયગંબર સાહેબે તેને ચાખ્યું અને પોતે જ ખાવા લાગ્યા. ત્યારે તેમના અનેક સાથીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમાંથી એકે પૂછી લીધું, "પયગબંર સાહેબ, તમે અન્ય કોઈને ભાગ ન આપ્યો."પયગંબર સાહેબે સ્મિત આપ્યું અને પેલો ગરીબ ખેડૂત ગયો નહીં, ત્યાર સુધી રાહ જોઈ.

મોરલ ઓફ ધ સ્ટોરી: કદી પણ તમારા સાથીની ભાવનાની ઉપેક્ષા ન કરો. જો, કોઈ કર્મચારીની લાગણીના કારણે, તમારે ઉપરી મેનેજમેન્ટના હળવા કડવા ઘૂંટ પીવા પડે તો પી લો. તમારા કર્મચારીનું જાહેરમાં અપમાન ન થાય, તેની ખાસ કાળજી રાખો.

2 ટિપ્પણીઓ: