શનિવાર, 5 માર્ચ, 2011

મેનેજમેન્ટ ગુરૂ', મહંમદ પયગંબરસાહેબ ભાગ ૨

બકરાની બલી

એક સમયે પયગંબર સાહેબ અને તેમના સાથીઓએ મુસાફરી પછી એક જગ્યાએ પડાવ નાખવાની તૈયારી કરી. ભોજન માટે બકરાની બલિ આપવાનું નક્કી થયું. તેમના એક સાથીએ કહ્યું કે, "હું બકરાને હલાલ કરીશ," બીજાએ કહ્યું, "હું તેની ખાલ દૂર કરીશ." ત્રીજાએ કહ્યું, "હું તેને પકાવીશ"....પયગંબર સાહેબ બોલ્યા, "હું રણપ્રદેશમાંથી લાકડાં લાવીશ."


ત્યારે સમૂહે ઉદ્દાગાર કર્યો, "પયગંબર સાહેબ, તમે તમારી જાતને કષ્ટ ન આપો. તમારું કામ અમે કરીશું." પયંગબર સાહેબે જવાબ વાળ્યો, "મને ખબર છેકે, તમે લોકો મારું કામ કરવા માટે આતુર છો. પરંતુ, જે વ્યક્તિ પોતાની અને સાથીઓની વચ્ચે ભેદ કરે અથવા તો પોતાને બીજાથી અલગ સમજે, તેનાથી અલ્લાહ ખુશ નથી થતા."પયગંબર સાહેબે રણમાંથી લાકડાં એકઠાં કર્યા અને સમુહ માટે ભોજન બન્યું.

મોરલ ઓફ ધ સ્ટોરી: તમારા નાના-મોટા બધા કામો કર્મચારી પર નાખી દેવાના બદલે ખુદ તમારું કામ કરો. તેમની સમક્ષ એક આદર્શ ઉદાહરણ બનીને રજૂ થાવ. "આચાર એ પ્રચારનું શ્રેષ્ઠ સાધન છે." તમે જે ન કરતા હો, કે કરી ન શકતા હો તે કામ કર્મચારી પાસે કરાવવું યોગ્ય નથી.પાણીની શોધ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો